બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ધર્મ / religion angarki chaturthi 2021 date importance puja vidhi shubh tithi ganesh chaturthi
Premal
Last Updated: 06:18 PM, 22 November 2021
ગણેશજી દેવોમાં પ્રથમ પૂજનીય
આચાર્ય મુજબ, ભગવાન ગણેશ દરેક દેવોમાં પ્રથમ પૂજાય છે અને વિધ્ન નાશક છે. ભગવાન ગણેશને બુદ્ધી, સમૃદ્ધી અને સૌભાગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે. ગણેશજીની ઉપાસના કરવાથી તાત્કાલિક તમારા દુ:ખોનો વિનાશ થાય છે. આ દિવસે વ્રત રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. વ્યક્તિને માનસિક અને શારીરીક કષ્ટોમાંથી છૂટકારો મળે છે.
દેવામાંથી મળશે છૂટકારો
અંગારકી ચતુર્થીનું વ્રત દેવામાંથી છૂટકારો મેળવવા માટે કારગત માનવામાં આવે છે. પછી તે કોઈ પણ પ્રકારનું દેવુ હોય, મકાન, બિઝનેસ સાથે જોડાયેલુ દેવુ કે પછી પર્સનલ લોન. મહત્વનું છે કે, મંગળવારના દિવસે ચતુર્થીનો આ સંયોગ અત્યંત શુભ અને સિદ્ધી પ્રદાન કરનારો માનવામાં આવે છે.
અંગારકી ગણેશ ચતુર્થીનું શુભ મૂહુર્ત
ચતુર્થી તિથિ આરંભ- 22 નવેમ્બર રાત્રે 10 વાગ્યેને 27 મિનિટથી શરૂ
ચતુર્થી તિથિ સમાપ્ત- 23 નવેમ્બર 2021ને રાત્રે 12 વાગ્યેને 55 મિનિટ સુધી
ચંદ્રોદયનો સમય છે- રાત્રે 8 વાગ્યેને 11 મિનિટે
ગણેશ ચતુર્થીની પૂજાવિધિ
આ દિવસે ભગવાન ગણેશનું વ્રત કરીને વિધિવત રીતે પૂજા કરવાથી આખા વર્ષની ચતુર્થીનું મળતુ ફળ આ ચતુર્થીમાં મળે છે. એટલેકે જે જાતક આખુ વર્ષ ચતુર્થીનું વ્રત ના કરે તેણે આ વિશેષ સંયોગનો લાભ લેવો જોઈએ. જેનાથી તમારા જીવનમાં ક્યારેય કોઈ દુ:ખ અથવા અવરોધ આવશે નહીં.
ભગવાન ગણેશનું ધ્યાન ધરો
બહ્મ મૂહુર્તમાં ઉઠીને દરેક કામ પતાવીને સ્નાન કરો. ત્યારબાદ ગણપતિનું ધ્યાન ધરો. ત્યારબાદ એક બાજોટ પર સ્વચ્છ પીળા રંગનું કપડું પાથરો. આ કપડાં પર ભગવાન ગણેશજીની મૂર્તિ રાખો. હવે ગંગાજળ છાંટો અને આખા સ્થાનને પવિત્ર કરો. ત્યારબાદ ગણપતિને ફૂલની મદદથી જળ અર્પણ કરો. ત્યારબાદ રોલી, કંકુ અને હળદરમાં ભેળવેલા ચોખા (અક્ષત) અને ચાંદીનું વર્ક લગાવો. ત્યારબાદ લાલ રંગનું પુષ્પ, જનોઈ, પાનમાં સોપારી, લવિંગ ઈલાયચી અને કોઈ મિઠાઈ રાખીને ચઢાવો. બાદમાં નારીયેળ અને પ્રસાદમાં લાડું અર્પણ કરો. ગણેશજીને દક્ષિણા અર્પણ કરી તેમને 21 લાડુંનો ભોગ અર્પણ કરો. બધી સામગ્રી ચઢાવ્યાં બાદ ધૂપ, દીવો અને અગરબતી પ્રગટાવી ભગવાન ગણેશની આરતી કરો. ત્યારબાદ આ મંત્રનો જાપ કરો.
વક્રતુન્ડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ |
નિર્વિધ્નં કુરૂ મે દેવ સર્વેકાર્યેષુ સર્વદા ||
અથવા પછી ઓમ શ્રી ગં ગણપતયે નમ:નો જાપ કરો
છેલ્લે ચંદ્રને જોઈને મૂહુર્તમાં પ્રાર્થના કરને પોતાનું વ્રત પૂર્ણ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir