બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 09:23 PM, 22 March 2023
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી અને માર્ચ એન્ડીગને પગલે જામનગર, કાલાવડ, જેતપુર, બેડી, ઉંજા સહિતના માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા અંગે નિર્ણય કરવામા આવ્યો છે. જેના ભાગરૂપે માર્કેટ યાર્ડ દ્વારા જણસીની આવક લેવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી જણસી યાર્ડમાં ન લાવવા યાર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જણસ યાર્ડમાં ન લાવવા ખેડૂતોને સૂચના
હવામાન વિભાગ દ્વારા બે દિવસ માટે માવઠાની આગાહી કરવામા આવી છે. જેના ભાગરૂપે જેતપુરમાં માર્કેટ યાર્ડના સત્તાવાળાઓ નિર્ણય લઈ માર્કેટ યાર્ડ દ્વારા જણસી લેવાનું બંધ કરાયું છે. જેમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી જણસી યાર્ડમાં ન લાવવા ખેડૂતોને સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા યાર્ડમાં ખેડૂતો અને વેપારીના માલને નુકસાન થયું હતું. આથી યાર્ડ દ્વારા કોઈ જ પ્રકારની ખેડૂતોની જણસીને પ્રવેશ અપાશે નહીં! છતાં પણ જો વેપારી જણસીની ખરીદી કરશે તો તે જવાબદારી તેમની રહેશે. તેવી સ્પષ્ટ સૂચના આપી દેવામા આવી છે.
રાજકોટનું બેડી માર્કેટયાર્ડ પણ બંધ
આ ઉપરાંત રાજકોટના બેડી માર્કેટયાર્ડ દ્વારા પણ નિર્ણય લઈ આવતીકાલે ઘઉં,ધાણા અને ચણા સહિત 3 જણસીની આવક ન કરવા જણાવ્યું છે. કમોસમી વરસાદને પગલે આ નિર્ણય કરાયો છે. ખુલ્લા ગ્રાઉન્ડમાં ટોકનથી ઉતરતી જણસીની આવક બંધ કરી ઘઉં,ધાણા અને ચણાલઇને ખેડૂતોને ન આવવા અપીલ કરાઈ છે. યાર્ડમાં ખરીદ-વેચાણ (હરાજી) નું કામકાજ બંધ રહેશે. 24 માર્ચ શુક્રવાર સાંજથી ખેડૂતોની જણસીની આવક બંધ કરાશે.
ઊંઝા APMC 7 દિવસ બંધ રહેશે
બીજી તરફ માર્ચના અંતે વેપારીઓના હિસાબોને લઈ એશિયાનું સૌથી મોટું ઊંઝા APMC 7 દિવસ બંધ રહેશે. ઊંઝા ગંજ બજાર 27 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રાખવા જણાવાયુ છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતને લઈને માર્કેટયાર્ડ બંધ રાખવાનું નક્કી કરાયું છે. ત્યારબાદ 3 એપ્રિલથી માર્કેટ યાર્ડમાં રાબેતા મુજબ હરરાજી શરૂ કરી દેવામાં આવશે. તો જામનગર જિલ્લાનું કાલાવડ APMC પણ આવતીકાલથી 11 દિવસ સુધી બંધ રહેશે. તા. 23 થી 2 એપ્રિલ સુધી યાર્ડમાં જણસીની ખરીદી કે વેચાણ નહીં થાય! બાદમાં 3 એપ્રિલથી APMC રાબેતા મુજબ ચાલુ રહેશે. જેથી ખેડૂતોને આવતીકાલથી જણસી ન લાવવા અંગે જણાવ્યુ છે. એજ રીતે જામનગર યાર્ડ પણ બંધ રાખવા અંગે જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir