બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ram navami khambhat himmatnagar gujarat police harsh sanghvi
Hiren
Last Updated: 11:17 PM, 10 April 2022
રામનવમીની ઉજણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા. આગજની અને તોડફોડ સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસની સાથે અનેક લોકો ઘાયલ થયાં હતાં. તો હિંસાને રોકવા માટે આખા જિલ્લાની પોલીસને બંને શહેરોમાં ખડકવાની જરૂર પડી. આ સ્થિતિ વચ્ચે સરકાર સક્રિય થઇ છે.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાતે બોલાવી બેઠક
સાબરકાંઠા અને ખંભાતમાં તંગદીલીની સ્થિતિ મામવે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં રાતે 11 વાગ્યે મહત્વની બેઠક યોજાઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ આપ્યા છે. બંને શહેરોમાં થયેલા ઘર્ષણ અંગેની સ્થિતિની સમીક્ષા કરશે.
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગૂ
સાબરકાંઠામાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાનો મામલે હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. 4થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. 13 તારીખ સુધી સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરાઈ છે. હિંમતનગરના રાધે સ્વીટ, પૂર્ણિમા ડેરી વિસ્તારમાં પ્રતિબંધ મૂકી દેવાયો છે. ભગવતી પેટ્રોલ પંપથી ટાવર ચોક સુધી કલમ 144 લાગૂ કરાઈ છે. પૂર્ણિમા ડેરી તેમજ છાપરિયા સુધીના તમામ વિસ્તારોનો સમાવેશ કરાયો છે. પાણપુર પાટિયા પાસે પણ પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. હિંમતનગરના મોટાભાગના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અન્ય જિલ્લાઓની પોલીસની ટુકડીઓ પણ તૈનાત કરાઈ છે. તંગદિલીના માહોલ બાદ હાલ સ્થિતિ કાબૂમાં છે.
અસામાજિક તત્વોએ બન્ને શહેરોમાં ફેલાવી હિંસા
દરેક ધર્મના લોકોને પોતાનો તહેવાર ઉજવવાનો અધિકાર છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો બસ આ તહેવારોમાં હિંસા ફેલાવવામાં જ માનતા હોય તે વાત આજે ફરી ગુજરાતના બે જિલ્લાઓમાં સામે આવી. જેમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો.
હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો
રામ નવમીની શોભાયાત્રા દરમિયાન સૌથી ગંભીર માહોલ સાબરકાંઠાના હિંમતનગરમાં જોવા મળ્યો. અહીં જ્યારે હિંદૂ સંગઠનો દ્વારા છાપરિયા રામજી મંદિરથી રામનવમીની શોભાયાત્રા યોજી તો કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો. ત્યારબાદ ભાગદોડ મચી ગઈ. હિંદૂ સંગઠન અને અસામાજીક તત્વો વચ્ચે હિંસા ફેલાઈ. જેમાં કેટલાક તત્વોએ બાઈક અને જીપને આગચંપી પણ કરી હતી. જોકે હિંસાની જાણ થતા જ જિલ્લા પોલીસ દોડી આવી હતી. જોકે સ્થિતિ એટલી વણસી હતી કે, ટોળાને વિખેરવા માટે પહોંચેલા પોલીસના કાફલા પર પણ હુમલો થયો હતો. જેમાં પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા. જોકે અસામાજિક તત્વો પર કાબૂ મેળવવા માટે પોલીસે 5 ટીયરગેસના સેલ છોડ્યા હતા. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવીને માહોલ શાંત પાડ્યો હતો. SRP બટાલિયનને હિંમતનગર બોલાવાઈ છે. અરવલ્લી સહિત મહેસાણા પોલીસ પણ હિંમતનગરમાં ખડકી દેવામાં આવી છે. હાઇવે વિસ્તારમાં 2 દુકાનના કાચ તૂટ્યા છે, તો 2થી વધુ દુકાનો સળગાવી દેવામાં આવી છે.
આણંદના ખંભાતમાં ભડકી હિંસા
આ તરફ આણંદના ખંભાતમાં પણ શોભાયાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું. રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચેના અથડામણમાં એકનું મૃત્યુ થયું છે. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત શખ્સે જીવ ગુમાવ્યો છે. શહેરની મુખ્ય બજારમાં દુકાનોમાં આગચંપીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. ટાવર બજાર વિસ્તારો અસામાજિક તત્વોએ 7થી 8 દુકાનોમાં આગ લગાવી દીધી હતી. જોકે સ્થિતિ કાબૂ બહાર પહોંચે તે પહેલા જ સમગ્ર વિસ્તારમાં SP, ASP, જિલ્લા LCB અને SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી હતી.
દ્વારકામાં કેસરી ઝંડો સળગાવાતા વિવાદ વકર્યો
દ્વારકામાં યુવકે રામનવમીની રેલીનો કેસરી ઝંડો સળગાવતા વિવાદ સર્જાયો છે. ભારે તંગદીલી વચ્ચે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ભઠાણ ચોકમાં મારામારી થતા દ્વારકા પોલીસે કાર્યવાહી હાથધરી હતી. દ્વારકા પોલીસે ઘટનાસ્થળેથી ટોળાને ખસેડવા પ્રયાસ શરૂ કર્યા છે. પોલીસ સ્ટેશને પણ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો છે. આરોપીને તાત્કાલિક પકડવાની માંગ સાથે લોકો પહોંચ્યા હતા. ઝંડો સળગાવતા યુવકને મારમારવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
આ ઘટનાઓને લઈને સવાલ એ થાય છે કે, ગુજરાતમાં એવા તત્ત્વો કોણ છે જે બે કોમ વચ્ચે હિંસા ભડકાવવાના પ્રયાશો કરે છે? ધર્મના નામે હિંસા ભડકાવી શું મળવાનું છે? કેમ દરેક ધર્મને બીજા ધર્મના લોકો સન્માન ન આપી શકે? કોઈને નુકસાની પહોંચાડીને શું મળી જવાનું છે? સવાલો અહીં ધર્મનના નામે ઝેર ફેલાવનારા તત્વો સામે છે. ત્યારે આશા રાખીએ કે, આવી ઘટનાઓ ગુજરાતમાં ન ઘટે અને પોલીસ પણ આવા હિંસા ફેલાવતા તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir