બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 04:56 PM, 10 July 2023
Ram Mandir: યુપીના અયોધ્યામાં રામલલાના મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જાન્યુઆરી 2024માં ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજશે. તો આવો રામ મંદિર સાથે જોડાયેલી એવી માહિતી વિશે જાણીએ...જે કદાચ તમે ક્યારેય નહીં જોઈ હોય. વાસ્તવમાં રામ મંદિરમાં એક એવી જગ્યા છે જ્યાં દરરોજ મૂર્તિ વગર પૂજા અને આરતી કરવામાં આવે છે. આટલું જ નહીં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તે સ્થળે નતમસ્તક કર્યા હતા.
અહીં રામ મંદિરના ગર્ભગૃહ વિશે વાત થઇ રહી છે, જ્યાં ભગવાન રામને તેમનું સ્વરૂપ ધારણ કરીને પૂજા કરવામાં આવે છે. રામ મંદિરના પૂજારીઓ રામજન્મભૂમિમાં રામલલાના જન્મસ્થળની સતત પૂજા કરી રહ્યા છે. રામલલાના જન્મસ્થળ પર ન તો કોઈ મૂર્તિ બેઠેલી છે અને ન તો કોઈ પ્રકારના ચિહ્નો છે. આમ છતાં દરરોજ સવાર-સાંજ નિયમિત રીતે દીવા પ્રગટાવવામાં આવે છે અને રામલલાના પૂજારીઓ ત્યાં રોજ આરતી કરે છે.
ભગવાન રામલલાનું ભવ્ય મંદિર
રામલલાના જન્મસ્થળ પર માત્ર એક જ સ્તંભ છે, જેના પર વિજય ધ્વજ લહેરાવવામાં આવે છે. રામલલાના પૂજારીઓ નિયમિતપણે આ સ્તંભની પૂજા અને આરતી કરે છે. જેને પંચોપચાર પૂજા કહેવામાં આવે છે. આ સ્થાન પર ધૂપ, દીવો અને આરતી સાથે બંને સમયે (સવાર અને સાંજ) ભોગ ચઢાવવામાં આવે છે. રામલલાના જન્મસ્થળ પર જ ભગવાન રામલલાનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ગર્ભગૃહ એ સ્થાન છે જ્યાં ભગવાન રામલલાએ અવતાર લીધો હતો.
આ મંદિરમાં બિરાજમાન થયા રામ
રામલલાના મુખ્ય પૂજારીએ જણાવ્યું કે, જ્યારે રામલલા ત્યાંથી શિફ્ટ થયા અને અસ્થાયી મંદિરમાં બેઠા, ત્યારે ટ્રસ્ટે નક્કી કર્યું કે ભગવાનના જન્મસ્થળ પર પૂજા બંધ નહીં થાય. ભગવાનના જન્મસ્થળ પર પ્રતીક તરીકે એક સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો, જ્યાં દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. નિયમિત પૂજા એ જ જગ્યાએ થાય છે. રામલલાના જન્મસ્થળ પર દૂરથી વિજય ધ્વજ જોવા મળશે. રામલલાના મુખ્ય પૂજારી કહે છે કે, વિજય ધ્વજ અને ભગવાનના જન્મસ્થળ બંનેની નિયમિત પૂજા કરવામાં આવે છે.
પ્રતિદિન બંને સમયે કરે છે પૂજા
આચાર્ય કહ્યું કે, ભગવાન રામલલા એ જ જગ્યાએ બેઠા હતા અને ફરીથી ત્યાં જ બેસશે. તે એક પવિત્ર સ્થળ છે. તેથી જ ત્યાં નિયમિત પૂજા થાય છે. આને પંચોપચાર પૂજા કહે છે. ભગવાન રામલલાના જન્મસ્થળ પર દરરોજ બંને સમયે ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી અને ભોગ યોજાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir