બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Rahul Gandhi targets Modi government on Israel-Hamas war, says PM not interested in Manipur
Priyakant
Last Updated: 03:50 PM, 16 October 2023
Rahul Gandhi Statement : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે મિઝોરમના આઈઝોલથી એક મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, મિઝોરમમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તેમને મણિપુરમાં ચાલી રહેલી હિંસા કરતાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વધુ રસ છે. મિઝોરમમાં રાહુલ ગાંધીએ કહ્યું, મારા માટે આશ્ચર્યજનક છે કે, વડાપ્રધાન અને ભારત સરકારને ઈઝરાયેલમાં શું થઈ રહ્યું છે તેમાં આટલો રસ છે, પરંતુ મણિપુરમાં જે થઈ રહ્યું છે તેમાં તેમને બિલકુલ રસ નથી.
ખેડૂતોને બરબાદ કરવા માટે GSTની રચના
આઈઝોલમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, નાના અને મધ્યમ વર્ગના પરિવારોને બરબાદ કરવા માટે GST બનાવવામાં આવ્યો છે. તે ભારતના ખેડૂતોને નબળા બનાવવા માટે રચાયેલ છે. તમે બધા જાણો છો કે નોટબંધી સાથે શું થયું. તે આપણા વડાપ્રધાન દ્વારા વિચારવામાં આવેલ હાસ્યાસ્પદ વિચાર હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, અર્થતંત્ર હજુ સુધર્યું નથી. જો તમે ભારતની અર્થવ્યવસ્થાને વિકસાવવા માટે વડાપ્રધાનની વ્યૂહરચના સમજવા માંગતા હો, તો તેનો સારાંશ એક શબ્દ 'અદાણી' માં કહી શકાય. દરેક વસ્તુ ઉદ્યોગપતિને મદદ કરવા માટે બનાવવામાં આવી છે.
BJP has completely destroyed the idea of Manipur! pic.twitter.com/et07epUenJ
— Congress (@INCIndia) October 16, 2023
હું મારા પિતા સાથે પહેલીવાર મિઝોરમ આવ્યો ત્યારે હું....
આઈઝોલમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, 1986માં જ્યારે હું મારા પિતા સાથે અહીં આવ્યો ત્યારે હું 16 વર્ષનો હતો. મિઝોરમના લોકો સૌમ્ય, દયાળુ અને પ્રેમાળ છે. સમુદાયની મજબૂત ભાવના ધરાવતા લોકો છે. એવા લોકો છે જેઓ એકબીજાનો આદર કરે છે અને જુદા જુદા મંતવ્યો ધરાવતા લોકો પણ છે. બહુ ગર્વની વાત છે! તમારામાં દાનની લાગણી છે. 21મી સદીમાં આ શક્તિશાળી મૂલ્યો છે.
રાહુલ ગાંધીએ ચૂંટણી વિશે શું કહ્યું?
રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં ચૂંટણી યોજાવાની છે અને હું ઈચ્છું છું કે તમે વિચાર કરો કે, રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં શું કર્યું છે. આવનારી પેઢીઓમાં ડ્રગ્સ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જ્યારે ભાજપ તમારી સંસ્કૃતિ, તમારા ધર્મ, તમારી પરંપરાઓ પર હુમલો કરે છે, ત્યારે MNF પાર્ટી તેમનું સમર્થન કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું, થોડા મહિના પહેલા હું મણિપુર ગયો હતો. મણિપુરનો વિચાર ભાજપે નષ્ટ કરી દીધો છે. હવે તે એક રાજ્ય નહીં પરંતુ બે રાજ્યો છે. લોકોની હત્યા કરવામાં આવી છે, મહિલાઓની છેડતી કરવામાં આવી છે અને બાળકોની હત્યા કરવામાં આવી છે પરંતુ વડાપ્રધાનને ત્યાં મુલાકાત લેવાનું મહત્વનું ન લાગ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir