બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ધર્મ / puja path niyam things that are considered inauspicious to keep on the ground during worship
Bijal Vyas
Last Updated: 10:12 AM, 31 July 2023
Puja Path Niyam: હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. તે ભગવાન સુધી કોઈનો સંદેશ પહોંચાડવાનું એક સારું માધ્યમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં પૂજાના ઘણા નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જેનું ધ્યાન રાખવામાં આવે તો પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જેને પૂજા દરમિયાન જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે.
દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનની પૂજા કરે છે. પૂજા એ ભગવાન માટે સન્માન દર્શાવવાની એક રીત છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તેમજ વ્યક્તિ અને તેના પરિવારને ભગવાનના આશીર્વાદ મળે છે. એ જ રીતે પૂજા દરમિયાન શંખ ફૂંકવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. તેનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ શારીરિક લાભ પણ છે.
ક્યા રાખવો જોઇએ દીવો
હિંદુ ધર્મમાં દીવા વગર ભગવાનની પૂજા અધૂરી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે પૂજાનો દીવો ક્યારેય જમીન પર ન રહેવો જોઈએ. તેના બદલે થોડા ચોખા તેની નીચે રાખો અથવા દીવાને આસન પર રાખો.
શાલિગ્રામ રાખવાનો નિયમ
શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં તેને શિવલિંગની જેમ પૂજનીય માનવામાં આવ્યું છે. એટલા માટે તેને ક્યારેય સીધુ જમીન પર ન રાખવું જોઈએ. તેના બદલે શાલિગ્રામને આસન અથવા રેશમી કપડા પર રાખવા જોઈએ.
આ બાબતોનું ધ્યાન રાખો
પૂજા સમયે આ વાતનું ધ્યાન રાખો કે, દેવી-દેવતાઓની મૂર્તિઓને ક્યારેય સીધી જમીન પર ન રાખવી જોઈએ. તમારા આરાધ્ય દેવતાની મૂર્તિને હંમેશા સિંહાસન અથવા આસન પર રાખો. જો તમે પૂજા કરતી વખતે રુદ્રાક્ષ, તુલસી દળ અથવા અન્ય કોઈ રત્નનો ઉપયોગ કરતા હોય તો તેને સીધો જમીન પર ન રાખો. તેને કપડા કે વાસણમાં રાખીને અર્પણ કરવું જોઈએ.
અહીં રાખો કળશ
કળશને શુભ પ્રતીક માનવામાં આવે છે. તેને ક્યારેય સીધુ જમીન પર ન મૂકવું જોઈએ. કળશનો ઉપયોગ મુખ્યત્વે શુભ કાર્યમાં થાય છે. કળશ બાજોટ અથવા કપડા પર રાખવુ જોઈએ. અથવા તો તેની નીચે ચોખા રાખવા જોઈએ. સનાતન ધર્મમાં પૂજામાં સોપારીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તે દેવતાઓને તેમના ચહેરાને શુદ્ધ કરવા માટે અર્પણ કરવામાં આવે છે. તેને ક્યારેય સીધા જમીન પર ન રાખો જોઈએ, પરંતુ તેને સિક્કાની ઉપર ચઢાવવુ જોઈએ.
શંખ રાખવાની વિધિ
શંખને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજામાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. એટલા માટે શંખને ક્યારેય સીધો જમીન પર ન રાખવો જોઈએ. તેને આસન પર રાખો અથવા કોઇ સ્ટેન્ડ પર રાખો.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir