બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Prime Minister Narendra Modi will inaugurate the newly constructed Parliament building today
Dinesh
Last Updated: 07:31 AM, 28 May 2023
અમદાવાદ રૂ. 1200 કરોડના તોતિંગ ખર્ચે નવનિર્મિત સંસદ ભવનનું વિરોધ પક્ષોના ઉગ્ર વિરોધ અને વિવાદ વચ્ચે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ ઉદ્ઘાટન કરશે. નવનિર્મિત સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે પાટનગર નવી દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે અને તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે સજ્જડ સુરક્ષા જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ઘાટન સમારોહ બે તબક્કામાં યોજાશે. સમારોહનો પ્રથમ તબક્કો સવારે 9.30 કલાકે સમાપ્ત થશે. ઉદ્ઘાટન સમારોહ સંસદની નજીક આવેલ ગાંધી પ્રતિમાની બાજુમાં ઊભા કરાયેલા પંડાલમાં મંત્રોચ્ચાર સાથે શરૂ થશે.
બે શોર્ટ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે
પૂજા બાદ ગણમાન્ય લોકો લોકસભા અને રાજ્યસભા સંકુલનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ તામિલનાડુના પૂજારી પ્રાચીન પરંપરા અનુસાર લોકસભા ગૃહમાં અધ્યક્ષની ખુરશી નજીક પવિત્ર સેંગોલ (રાજદંડ)ને પ્રસ્તાપિત કરશે. સેંગોલના પ્રતિષ્ઠાપન વખતે શંકરાચાર્ય સહિત તામિલનાડુના મઠના 20 પંડિતો હાજર રહેશે. આ પ્રસંગે નવા સંસદ ભવનમાં પ્રાર્થનાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ઉદ્ઘાટનનો બીજો તબક્કો રવિવારે બપોરે લોકસભા ગૃહમાં રાષ્ટ્રગીતનાં ગાન સાથે શરૂ થશે. ત્યારબાદ રાજ્યસભાના નાયબ અધ્યક્ષ હરિવંશ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના શુભેચ્છા અને અભિનંદન સંદેશાઓનું વાંચન કરશે. નવા સંસદ ભવનના નિર્માણ અને તેના મહત્ત્વને દર્શાવતી બે શોર્ટ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ સંબોધન કરશે.
75નો સિક્કો અને સ્ટેમ્પ જારી કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે રૂપિયા 75નો સિક્કો અને સ્ટેમ્પ જારી કરશે અને ત્યારબાદ પોતાનું ઉદ્બોધન કરશે. અંતે લોકસભાના મહામંત્રી આભાર પ્રસ્તાવ રજૂ કરશે. નવા સંસદ ભવના ઉદ્ઘાટન સામે થયેલા વિરોધના કારણે દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ જેવી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 28 મેની સવારથી જ દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવશે. આવશ્યક વાહનો સિવાય અન્ય કોઈ પણ વાહનને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
રતન ટાટાપણ હાજર રહેશે ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ચીફ આર્કિટેક્ટ બિમલ પટેલ અને ભવનનું નિર્માણ કરનારી કંપની ટાટાના માલિક અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન ટાટાને પણ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલાય જાણીતા ફિલ્મસ્ટાર્સ અને ખેલાડીઓ સહિત કેટલીક અગ્રણી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir