બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Politics / prashant kishor says time to go to the real masters to better understand the issues
Pravin
Last Updated: 11:26 AM, 2 May 2022
શું સાથે વાત બરાબર નહીં જામતા શું પ્રશાંત કિશોર નવી પાર્ટી બનાવાના છે ? પ્રશાંત કિશોરના ટ્વિટ બાદ આ પ્રકારની અટકળો વહેંતી થઈ છે. હકીકતમાં જોઈએ તો, પ્રશાંત કિશોરે ટ્વિટ કરી કહ્યું છે કે, હવે મુદ્દા અને જન કલ્યાણનો માર્ગ વધારે સારી રીતે સમજવા માટે રિયલ માસ્ટર્સ એઠલે જ જનતા સુધી જવાનો સમય આવી ગયો છે.
હકીકતમાં જોઈએ તો, લાંબ સમય સુધી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જાય છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પ્રશાંત કિશોરે 2024 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પ્રદર્શનને લઈને કેટલીય તૈયારીઓ પણ કરી હતી, જો કે, કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે વાત બની શકી નહોતી અને કોંગ્રેસમાંથી તેઓ દૂર થઈ ગયા હતા.
My quest to be a meaningful participant in democracy & help shape pro-people policy led to a 10yr rollercoaster ride!
— Prashant Kishor (@PrashantKishor) May 2, 2022
As I turn the page, time to go to the Real Masters, THE PEOPLE,to better understand the issues & the path to “जन सुराज”-Peoples Good Governance
शुरुआत #बिहार से
બિહારથી શરૂઆત કરશે પીકે
પ્રશાંત કિશોરે ટ્વિટ કર્યું છે કે, લોકતંત્રમાં એક સાર્થક ભાગીદાર બનવા અને જન સમર્થક નીતિને આકાર આપવા માટે મદદ કરવાની મારી ઉતાર ચડાવ ભરી યાત્રા રહી છે. તેમણે આગળ લખ્યું છે કે, હવે મુદ્દા અને જન કલ્યાણનો માર્ગ વધું સારી રીતે સમજવા માટે રિયલ માસ્ટર્સ એટલે કે, જનતા પાસે જવાનો સમય આવી ગયો છે. શરૂઆત બિહારથી.
આજે બિહારના પ્રવાસે છે પીકે
માનવામાં આવી રહ્યું છે કે, પ્રશાંત કિશોર સમગ્ર બિહારની મુસાફરી કરશે અને લોકોને મળશે. તેમના મુદ્દા સમજશે. ત્યારે આવા સમયે સવાલ થઈ રહ્યો છે કે, શું પીકે નવા રાજકીય પાર્ટી બનાવી રહ્યા છે. મનાવામાં આવી રહ્યું છે કે, પીકે પાસે વિકલ્પો ઘણા છે. તે નવી પાર્ટીની જાહેરાત પણ કરી શકે છે. આમ તો પ્રશાંત કિશોર આજે પટનામાં છે. એટલું જ નહીં કહેવાય છે કે, પ્રશાંત કિશોર પોતાના અભિયાનની શરૂઆત બિહારથી કરવા જઈ રહ્યા છે. જો કે, તે ફક્ત બિહાર સુધી મર્યાદિત નહીં હોય.
4 મેના રોજ પ્રેસ કોન્ફ્રેંસ કરશે પીકે
કહેવાય છે કે, પ્રશાંત કિશોર 4 મેના રોજ પ્રેસ કોન્ફ્રેંસ કરીને પોતાની વાત રજૂ કરશે. ત્યારે તેઓ પોતાના નવા અભિયાન વિશે પણ જણાવશે. જો કે, ત્યાં સુધીમાં તેઓ બિન રાજકીય લોકો સાથે મુલાકાત પણ કરતા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ