બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prasad of Somnath temple will now be prepared on piped natural gas
Dinesh
Last Updated: 12:01 AM, 21 March 2023
માસિક શિવરાત્રીના પાવન પર્વ પર, સોમનાથ ટ્રસ્ટના પ્રસાદ નિર્માણગૃહ અને ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયના રસોઈઘરમાં ગેસ વિતરણ કંપની IRM એનર્જીએ શ્રી સોમનાથ મંદિર સંકુલમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કર્યો હતો. કંપનીએ ટ્રસ્ટના રસોડામાં "પાઇપ્ડ નેચરલ ગેસ" સપ્લાય કરવાનું શરૂ કર્યું છે જેમાં બે પ્રસાદ બનવાના રસોડા અને નિશુલ્ક ભોજનાલય છે જ્યાં યાત્રાળુઓને નિશુલ્ક ભોજન ઉપલબ્ધ થાય છે. IRM Energy દ્વારા પર્યાવરણ અનુકુળ અને સુરક્ષિત ગેસ પુરવઠો – PNG ની જાહેર સેવાઓ દ્વારા હજારો ગ્રાહકો/યાત્રીઓને જોડવામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે.
PNG ગેસ સપ્લાય ઉદ્ધાટન કર્યું
PNG ગેસ સપ્લાયનું ઉદ્ઘાટન શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ અને IRM એનર્જી ના સી.ઇ.ઓ કરન કૌશલ દ્વારા પૂજારીની ઉપસ્થિતિમાં શ્લોક ઉચ્ચારણ સાથે શાસ્ત્રોકત વિધિવિધાન સાથે કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન સમારોહમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ તેમજ IRM Energyના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ જ્યોતિર્લીંગ શ્રી સોમનાથ મંદિર પ્રત્યેની શ્રદ્ધા અને સેવામાં IRM એનર્જી દ્વારા સોમનાથ ટ્રસ્ટના તમામ 7 રસોડામાં સમગ્ર આંતરિક ગેસ પાઇપલાઇનની સંપૂર્ણ વ્યવસ્થા સૌજન્યથી કરેલ છે.
સોમનાથ ટ્રસ્ટના પ્રસાદગૃહોની સ્વચ્છતા અને સુચારુ વ્યવસ્થાપન તેમજ ભોજનાલયના રસોઈઘરમાં લોટ ગૂંથવાની મશીન, શાકભાજી સમારવાનું મશીન, રોટલીના તૈયાર લોટના માપસર ટુકડા કરી તેને વણીને રોટલી તૈયાર કરવાની ક્રિયા કરતું મશીન જોઈએ IRM અધિકારીઓ પ્રભાવિત થયા હતા. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ આધુનિકતા અને આધ્યાત્મનો સંગમ બન્યું છે તે જોઈને તેઓએ અપાર પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
સરેરાશ 5 થી 6 હજાર લોકો પ્રતિદિન બંને સમય ભોજન ગ્રહણ કરે છે
સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં સરેરાશ 5 થી 6 હજાર લોકો પ્રતિદિન બંને સમય ભોજન ગ્રહણ કરે છે. આ ભોજનાલયમાં પ્રતિમાસ 19 કિલો વાળું એક એવા 90 કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. 1800₹ ની બજારભાવની ગણતરી અનુસાર 1.62 લાખની કિંમતનો ગેસ પ્રતિમાસ ઉપયોગમાં આવતો હતો. પી.એન.જી ગેસ નો ઉપયોગ કરવાથી આ ખર્ચમાં 20 થી 30% નો ઘટાડો આવવાની સંભાવના છે. સાથે આ ગેસ એલપીજી ગેસની સાપેક્ષમાં વધારે સુરક્ષિત છે. બ્લાસ્ટ થવાની સંભાવનાને સ્થાન રહેતું નથી જેથી પી.એન.જી ગેસ લાંબેગાળે ટ્રસ્ટ માટે સુરક્ષિત અને ઓછું ખર્ચાળ નીવડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir