બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Kishor
Last Updated: 09:56 PM, 18 December 2022
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા `ન ભૂતો, ન ભવિષ્યતિ' જેવો પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ પ્રસંગની વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. ત્યારે આજે પણ પ્રમુખસ્વામી મહારાજના પરિવારજનો જીવન વિતાવી રહ્યા છે અને પ્રમુખસ્વામી મહારાજના ભત્રીજા અને એમનો પરિવાર ભગવાન સ્વામિનારાયણની ઘરમાં ભક્તિ કરે છે સાથે તેમના ઘરમાં બાપાની યાદો પણ સંગ્રહાયેલી છે.
વડોદરા જિલ્લાના ચાણસદ ગામે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો
અમદાવાદમાં જેની યાદમાં ઐતિહાસિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, તેવા પરમ અધ્યાત્મ અવતારી પુરુષ પ્રમુખ સ્વામી મહારાજનું નામ દરેક હરિભક્તોની જીભ પર રમતું હોય તે સ્વભાવિક છે. ત્યારે આવા રૂડા અવસરે અવતારી પુરુષના સાંસારિક પરિવારજનો વિશે વાત કરીએ તો વડોદરા જિલ્લાના ચાણસદ ગામે ખેડૂત પરિવાર મોતીભાઈ પટેલ અને માતા દિવાળીબેનને ત્યાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ શાંતિલાલ હતું. શાંતિલાલે તો કિશોરાવસ્થામાં જ શાસ્ત્રી મહારાજના હાથે દીક્ષા લઈ લીધી હતી અને ત્યારે તેઓ સમગ્ર વિશ્વમાં પ્રમુખસ્વામી મહારાજ તરીકે પ્રખ્યાત થાય હતા. પરંતુ તેમના નાનાભાઈના એક માત્ર સંતાન એવા અશોકભાઈ પટેલ વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરની સામે રહે છે.પ્રમુખ સ્વામીના પિતા મોતીભાઈ પટેલને ત્રણ પુત્રમાં મોટા પુત્ર ડાયાભાઇના પુત્ર અશોકભાઈ પટેલ તેમના પત્ની અને બે સંતાનો સાથે વડોદરામાં રહે છે. આજે પણ આ પરિવાર પ્રમુખસ્વામી મહારાજને કાકા નહીં પરંતુ ગુરુ માને છે અને ગુરુભક્તિના નાતે તેમની પાસે પ્રમુખસ્વામી મહારાજની અનેક યાદો સંગ્રહાયેલી છે. પ્રમુખસ્વામી મહારાજ જે પારણામાં ઝૂલતા હતા તે પારણું, બાપાનું શાળા છોડ્યા વયનું લિવિંગ સર્ટી, પ્રમુખસ્વામી મહારાજના અસ્થી , પ્રમુખસ્વામીની છડી જેવી અનેક વસ્તુઓ પ્રસાદ રૂપે આજે અશોકભાઈ પૂજા રૂમમાં સાચવીને તેની પૂજા કરી રહ્યા છે.
પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ બીએપીએસને સોંપી દીધુ
આ પરિવારે ચાણસદ ખાતેના મકાનો સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસને સોંપી દીધા છે, જે પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ હતુ. પરંતુ પ્રમુખ સ્વામિ સાથે જોડાયેલી અનેક ચીજવસ્તુઓ સામગ્રી આજે ભત્રીજા અશોકભાઈ વડોદરા ખાતેના પોતાના ઘરમાં બાપાની પ્રસાદી ગઈ સાચવી રહ્યા છે. દરરોજની દિનચર્યામાં આ પવિત્ર ચીજવસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અશોકભાઈનું કહેવું છે કે, બાપા સાથે જોડાયેલી દરેક ચીજવસ્તુના સ્પર્શમાત્રથી અવર્ણાતીત એવી દિવ્યઅનુભૂતિ થાય છે. એક યુગ પુરુષના કુળમાં પોતાનો જન્મ થવા બદલ આ પરિવાર ધન્યતાની અનુભૂતિ કરી રહ્યો છે.ત્યારે આ પરિવારનો આનંદ ન વર્ણવી શકાય તેવો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા