બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Post-mortem reports specify 'hanging' as cause of Tunisha's death, says Mumbai Police
Hiralal
Last Updated: 04:05 PM, 25 December 2022
ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માએ ગઈકાલે સિરિયલના શુટિંગ દરમિયાન મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત કેસમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ શિઝાન ખાનનું નામ સામે આવતા લવ જેહાદની ચર્ચા શરુ થઈ હતી. હિંદુવાદી સંગઠનો અને લોકોને લાગ્યું આ કેસ પણ લવ જેહાદનો છે પરંતુ આખરે મુંબઈ પોલીસે આ કેસમાં મહત્વના ખુલાસા કરી દીધા છે.
एक्ट्रेस तुनिषा शर्मा एक टीवी शो में काम करती थीं। तुनिषा शर्मा और शीज़ान खान के बीच प्रेम संबंध था। उस लड़के ने 15 दिन पहले ब्रेकअप किया था जिसके बाद तुनिशा ने अपने शो के सेट के रेस्ट रूम में आत्महत्या कर ली थी: चंद्रकांत जाधव, ACP, मुंबई पुलिस pic.twitter.com/A1PRX8DIYa
— ANI_HindiNews (@AHindinews) December 25, 2022
एक्ट्रेस तुनिषा की मां ने शिकायत दर्ज़ कराई जिसके बाद आरोपी(शीज़ान खान) को गिरफ़्तार किया गया। उसकी आज वसई कोर्ट में पेशी हुई जहां उसे 4 दिन की पुलिस रिमांड में भेजा गया है: चंद्रकांत जाधव, ACP, मुंबई पुलिस pic.twitter.com/RlFVhyltWV
— ANI_HindiNews (@AHindinews) December 25, 2022
આપઘાતને કારણે તુનિશાનું મોત થયું
મુંબઈ પોલીસના ACP ચંદ્રકાંત જાધવે ખુલાસો કરતાં કહ્યું કે તુનિશાએ આપઘાત જ કર્યો છે. તેના મોત કેસમાં કોઈ લવ જેહાદનો પુરાવો નથી કે નથી બ્લેકમેઈલિંગનો પુરાવો. એસીપીએ કહ્યું કે, તુનિશાના મોતમાં લવ જેહાદનો કોઈ એંગલ નથી. કસ્ટડી મળી ગઈ હોવાથી આરોપી અને સેટ પર કામ કરતા લોકોની પણ તપાસ કરવામાં આવશે. દરેકના નિવેદન પણ નોંધવામાં આવશે. બાકીની તપાસ આના આધારે કરવામાં આવશે. હાલ તો એ સ્પષ્ટ છે કે તુનિશાનું મોત ગળેફાંસો ખાવાને કારણે થયું હતું. ચંદ્રકાંત જાધવે જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને અત્યાર સુધીની તપાસ મુજબ બ્રેકઅપને કારણે તુનિશા આઘાત સહન કરી નહોતી અને તે ડિપ્રેશનમાં આવી હતી તેને કારણે તેણે અંતિમ પગલું ભરી લીધું.
લવ અફેર્સ, બ્લેકમેઈલિંગ કે લવ જેહાદનો કેસ નહીં
મુંબઈ પોલીસના એસીપી જાધવે કહ્યું હાલ તપાસ ચાલી રહી છે અને આરોપી તથા મૃતકનો ફોન જપ્ત કરી લેવાયો છે. લવ અફેર્સ, બ્લેકમેઈલિંગ કે લવ જેહાદનો કોઈ કેસ દેખાતો નથી.
Post-mortem reports specify 'hanging' as cause of Tunisha's death, says Mumbai Police
— ANI Digital (@ani_digital) December 25, 2022
Read more At: https://t.co/rCev0Wv3mP#TunishaSharma #TunishaSharmaDeath #MumbaiPolice pic.twitter.com/YotCRkRn1r
આરોપી શિઝાન ખાન 4 દિવસની પોલીસ કસ્ટડીમાં
ગઈકાલે ટીવીની અભિનેત્રી તુનિશા શર્માએ સીરિયલના શુટિંગ વખતે મેકઅપ રુમમાં આપઘાત કર્યો હતો. તેના મોત બાદ તેનો પૂર્વ પ્રેમી શિઝાન ખાન ચર્ચામાં આવ્યો હતો અને પરિવારના આરોપસર શિઝાન ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી હતી પરંતુ આ કેસનું કોકડું ઉકેલવા પોલીસને આરોપીની વધારે પૂછપરછની જરુર હતી તેથી તેને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં કોર્ટે પોલીસની વિનંતી સ્વીકારીને આરોપી શિઝાન ખાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir