બ્રેકિંગ ન્યુઝ
પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar-Veraval highway accident
Kiran
Last Updated: 11:51 AM, 17 September 2021
પોરબંદર-વેરાવળ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે કાર ચાલક ખંભાળિયાના ખજૂરીયાથી માંગરોળના લોએજ ગામ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા કારે અચાનક પલટી મારી હતી જેમાં એક જ પરિવારના 3 લોકોના ઘટના મોત નિપજ્યા હતા જ્યારે બે લોકોને ગંભીર ઈજા થઈ હતી મોતને પગલે પરિવારમાં મોતનો માતમ છવાય ગયો છે.
ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચે અકસ્માત
આ કારે ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચે પલટી મારી હતી અકસ્માતની જાણ થતા જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા તેમજ તાત્કાલિક 108નો સંપર્ક કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ
મહત્વનું છે કે અમકસ્માતમાં મોત પામનાર મૃતકો ખંભાળીયાના હોવાનું મનાઈ રહ્યું છે જાણવા મળી રહ્યું છે અકસ્માતમાં કિશન, મયુર અને ઘેલું ચંદ્રાવાડિયાનું મોત નિપજ્યું છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા છે જ્યારે અન્ય એક અકસ્માતમાં દ્વારકા નજીક છકડા રિક્ષાની ગાય સાથે ટક્કર થતાં ચાલકનું મૃત્યુ થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ