બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 06:48 PM, 22 January 2024
અમદાવાદ શહેરમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામા આવ્યુ છે. અમદાવાદ શહેરમા જુદા જુદા વિસ્તારમા શોભાયાત્રા અને રામધૂનનુ આયોજન કરવામા આવ્યુ છે. જેથી અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતુ.
પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ
ખેરાલુની પથ્થર મારાની ઘટના બાદ અમદાવાદ પોલીસ એલર્ટ પર છે. દરેક શોભાયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સવારથી અલગ અલગ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ કમાંડ એન્ડ કન્ટ્રોલ રૂમ માંથી પણ સતત સીસીટીવીનુ મોનીટરીંગ કરવામા આવે છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીને લઈને પોલીસ સ્ટેન્ડ ટુ જોવા મળી છે
ભોજ ગામે પથ્થરમારાની ઘટના
વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા નીકળી હતી, તે દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ રામયાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યો હતો. જે પથ્થરમારામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતાં. સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ પરિસ્થિત પર કાબૂ મેળવ્યો હતો. સદીઓના સંઘર્ષ બાદ પ્રભુ શ્રીરામ નિજ મંદિરમાં બિરાજમાન થતાં રામ ભક્તોમાં ઉત્સાહનુ વાતાવરણ છે તો બીજી તરફ પથ્થરમારાની ઘટના બનતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે
વાંચવા જેવું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ નાગરિકોને પાઠવી શુભેચ્છા, કહ્યું આતુરતાનો અંત
ખેરાલુમાં પણ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો
મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ખેરાલુ પોલીસ દ્વારા પથ્થરમારાને લઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં ખેરાલુ PSI જે.કે.ગઢવી ફરિયાદી બન્યા છે. આરોપીઓએ કાવતરૂ રચીને પથ્થરમારો કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ઘાતક હથિયારોથી હુમલો થયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા