બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / PM post for 2024 not vacant: Giriraj Singh
Hiralal
Last Updated: 03:52 PM, 13 April 2023
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર કટાક્ષ કરતા કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે ગુરુવારે કહ્યું હતું કે 2024 માટે પીએમ પદ ખાલી નથી.
આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પછી પણ વડા પ્રધાની પોસ્ટ ભાજપ નેતા નરેન્દ્ર મોદી પાસે જ રહેશે તેવું ભારપૂર્વક જણાવતા સિંહે દાવો કર્યો હતો કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. પરંતુ આજકાલ તો દરેક વ્યક્તિ વડાપ્રધાન બનવા માંગે છે.
2024ની સાલમાં પીએમની ખુરશી ખાલી નથી
પટણામાં આયોજિત એક કાર્યક્રમમાં એક સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, "લોકોને ખબર હોવી જોઈએ કે 2024 માટે વડા પ્રધાનનું પદ ખાલી નથી.
તુષ્ટિકરણની રાજનીતિ કરનાર નેતાઓને લોકોની કંઈ પડી નથી
નીતીશ કુમારનું નામ લીધા વિના સિંહે કહ્યું, "તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ લોકો રોજગાર આપવાનું વિચારી શકતા નથી. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને રોજગાર પેદા કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે
ભાજપની આગેવાની હેઠળની વર્તમાન કેન્દ્ર સરકારની સિદ્ધિઓ ગણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે અન્ય બાબતોની સાથે સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિકસાવવા માટે સખત મહેનત કરાઈ રહી છે, જે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે અને ભારતને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં મદદ કરશે.
ગઈકાલે નીતિશ ખડગે અને રાહુલને મળ્યાં
બિહારના મુખ્ય પ્રધાન અને તેમના નાયબ તેજસ્વી યાદવે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, જેને 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે લડવા માટે વિરોધી પક્ષોનું જોડાણ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. કુમાર કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠક બાદ તરત જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir