બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / PM Modi's tweet after Congress' victory in Karnataka assembly elections
Dinesh
Last Updated: 07:52 PM, 13 May 2023
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર વડાપ્રધાન મોદીનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. પીએમએ કહ્યું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે મારી શુભકામનાઓ. તમને જણાવી દઈએ કે, કર્ણાટક ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને જેમાં કોંગ્રેસ જંગી બહુમતીથી આગળ વધી રહી છે.
Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations.
— Narendra Modi (@narendramodi) May 13, 2023
વડાપ્રધાને કહ્યું કે, હું આભાર માનવા માંગું છું કે, જેમણે ચૂંટણીમાં અમને સંમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, હું ભાજપના કાર્યકરોની મહેનતની સરાહના કરું છું અને આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ ઉત્સાહ સાથે કરીશું.
કોંગ્રેસે 103 બેઠકો પર જીત મેળવી છે અને 33 બેઠકો પર આગળ
ચૂંટણી પંચના તાજેતરના આંકડા અનુસાર કોંગ્રેસે 103 બેઠકો પર જીત મેળવી છે અને 33 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 50 બેઠકો જીતી છે અને 14 બેઠકો પર આગળ છે. કોંગ્રેસને અત્યાર સુધીમાં કુલ વોટ શેરના 43.11% મળ્યા છે તેમજ મતગણતરી ચાલી રહી છે.
પ્રજાનો વિશ્વાસ મેળવવામાં કોંગ્રેસ સફળ રહી
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાનો વિશ્વાસ મેળવવામાં કોંગ્રેસ સફળ રહી હોય તેવું પરિણામો પરથી લાગી રહ્યું છે. ચૂંટણી બાદ આજે વિધાનસભાની બેઠકોનું પરિણામ આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસ બહુમતી તરફ આગળ હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકમાં સરકાર હોવા છતાં પણ બીજેપી હારી રહી છે છતાં જનતાની નજરમાં ભાજપનો દબદબો અકબંધ રહ્યો છે. કારણ કે ભાજપની હાર છતાં પોતાના મતની ટકાવારીમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી.
મતની ટકાવારી 35.7 ટકા
ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પર નજર કરીએ તો 2023ના ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના મતની ટકાવારી 35.7 ટકા છે. જ્યારે પાંચ વર્ષ અગાઉ એટલે કે 2018 માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મત 36.2 ટકા રહ્યા હતા. આવી સ્થિતિમાં આ વખતે ભાજપે માત્ર એક ટકા જેટલા મત ગુમાવ્યા છે જે નહિવત ગણાય છે.
2023ની ચૂંટણીમાં પક્ષના મતની ટકાવારી
કોંગ્રેસ 43.1%
બીજેપી 35.86%
જનતા દળ 13.25%
આમ આદમી પાર્ટી 0.58%
બસપા 0.29 %
એઆઇએમઆઇએમ 0.02 %
સીપીઆઈ 0.02 %
Source: ECI
જીડીએસ ફક્ત 21 બેઠકો સમેટાઈ
2023 માં જેડીએસના ખાતામાં બેઠકો પણ ઓછી થઈ છે અને મતની ટકાવારીમાં મોટો કડાકો નોંધાયો છે. 7 ટકાના ઘટાડા સાથે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 2018માં જેડીએસએ 200 બેઠકમાંથી 27 બેઠક જીતી હતી. જેની ટકાવારી 20.61 હતી જ્યારે આ વખતે જીડીએસ ફક્ત 21 બેઠકો સમેટાઈ છે અને મત 13.3 ટકા જ થયા છે.
2018 ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પક્ષના મતની ટકાવારી
કોંગ્રેસ 38.4 %
બીજેપી 36.2%
જનતા દળ 18.36%
આમ આદમી પાર્ટી 0.06 %
બસપા 0.30 %
સીપીઆઈ 0.01 %
સપા 0.03 %
Source: ECI
ફરી સતાપર આવવા ભાજપે અનેક વચનો આપ્યા અને ખૂબ મહેનત કરી હતી છતાં વિવિધ ચૂંટણીના વચનો અને સત્તા હોવા છતાં ભાજપ તેના મતની ટકાવારીમા ખાસ વધારો કરી શક્યો નથી. સામે પક્ષે મતની ટકાવારીમાં મોટું નુકસાન પણ થયું નથી પરંતુ સીટો મોટે પાયે ખોવાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir