બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / PM Modi's address to the UN General Assembly
Ronak
Last Updated: 07:20 PM, 25 September 2021
વડાપ્રધાન મોદીએ આજે UN મહાસભમાં સૌથી પહેલા કોરોનાથી મોત પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપીને પોતાનું સંબોધન શરૂ કર્યું. સાથેજ તેમણે કહ્યું કે હુ ગુજરાતમાં સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહ્યો હતો. ઉપરાંત કહ્યું કે હુ છેલ્લા 20 વર્ષથી દેશની સેવા કરી રહ્યો છું. વધુમાં તેમણે કહ્યું કે હુ હું તે દેશનું પ્રતિનિધિત્વ કરવા આવ્યો છું જેને લોકતંત્રની જનની કહેવામાં આવે છે. ઉપરાંત એક બાળક જે ચાની દુકાન પર કામ કરતો હતો તે આજે ચોથીવાર UNGAમાં સંબોધન કરી રહ્યો છે, આ ભારતના લોકતંત્રની તાકાત છે તેવું પણ કહ્યું.
અફઘાનિસ્તાનની પરિસ્થિતી મુદ્દે મોટું નિવેદન
PM મોદીએ કહ્યું નામ લિધા વિના કહ્યું કે જે દેશો આતંકવાદનો પોલિટીકલી ઉપયોગ કરી રહ્યા છે. તેમને સંદેશ આપ્યો કે આતંકવાદ તમારા માટે પણ ભયાનક છે. સાથેજ તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આંતક ફેલાવા ન થાય તે ધ્યાન રાખવું પડવું. ઉપરાંત તેમણે કહ્યું અફઘાનિસ્તાનના મહિલાઓ અને બાળકોને મદદની જરૂર છે. જેમા આપણે મદદ કરવી પડશે
DNA વેકેસિનનો ઉલ્લેખ
વધુંમાં તેમણે કહ્યું કે ભારતે વિશ્વની પહેલી DNA વેક્સિન સોધી કાઢી છે. જેને 12 વર્ષની વધુના દરેક લોકોને આપવામાં આવશે,વડાપ્રધાને કહ્યું કે કહ્યું કે અમારો દેશ વિવધતાથી ભરેલો દેશ છે. સાથેજ તેમણે કહ્યું ભારતની ટેક્નોલોજી વિશ્વને મદદ કરી શકે છે. UPI ટ્રાન્ઝેશનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતમાં રોજના 350 કરોડનો વ્યવહાર થાય છે. સાથેજ તેમણે કહ્યું કે ભારતમાં રોજના કરોડો લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
વેક્સિન મેન્યુફેચર્સને UN મહાસભામાં આમંત્રણ
વડાપ્રધાન મોદી UN મહાસભામાં બધા દેશોની વચ્ચે બોલ્યા કે ભારતના વૈજ્ઞાનિકો નેઝલ વેક્સિન માટે પણ લાગેલા છે, ભારતે દુનિયાના જરૂરિયાતમંદોને વેક્સિન આપવાની શરૂઆત કરી છે. ઉપરાત તેમણે કહ્યું કે હું દુનિયાભરનાં વેક્સિન મેન્યુફેક્ચર્સને આમંત્રણ આપું છું, ભારતમા આવીને વેક્સિન બનાવો.
UN સામે સવાલો ઉઠ્યા તે વાતનો ઉલ્લેખ
PM મોદીએ કહ્યું યુએન સામે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમા આતંકવાદ , અફઘાનિસ્તાન સંકટ અને કોરોના મુદ્દે યુએન સામે ઘણા સવાલો ઉઠ્યા છે. જેના કારણે ઘણું નુકશાન પણ થયું છે અને આટલું કહ્યું બાદ તેમણે રવિન્દ્ર નાથ ટાગોરના કહેલા શબ્દો પર પોતાના સંબોધનનો અંત લાવ્યો હતો.
મહાસભા પછી તેઓ પરત ભારત આવશે
આ સભામાં ખાસ કરીને વડાપ્રધાને કોરોના મહામારી, આંતકવાદ અને ભારતના વિકાસને લઈને ચર્ચાઓ કરી, જેમા આતંકવાદનો મુદ્દો મુખ્ય રહ્યો સાથેજ વિશ્વમાં જેટલા પણ વેક્સિન મેન્યુફેક્ચર છે તે લોકોને ભારત આવીને વેક્સિન બનવવા માટ ે આમંત્રણ આપ્યું. આ મહાસભાના સબોધન બાદ PM હવે પરત ભારત આવશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ