બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vaidehi
Last Updated: 04:07 PM, 19 August 2023
PM મોદીએ 18 ઑગસ્ટનાં સોશિયલ મીડિયાનાં એક પ્લેટફોર્મ LinkedIn પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે ભારતની આર્થિક સ્થિતિ પર કરવામાં આવેલા 2 રિપોર્ટ શેર કર્યાં હતાં. તેમણે કહ્યું કે દેશમાં ન માત્ર લોકોની આવક વધી છે પરંતુ તેમની અનુપાલનતામાં પણ વધારો થયો છે.
'લોકોની આવક વધી છે'
PM મોદીએ જે 2 રિપોર્ટસનો ડેટા શેર કર્યો તેમાંનો એક દેશની સૌથી મોટી સરકારી બેંક SBI દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય પત્રકાર અનિલ પદ્મનાભન દ્વારા કરવામાં આવ્યો છે. SBIની રિસર્ત રિપોર્ટ અંગે PM મોદીએ કહ્યું કે ભારતમાં ITR ફાઈલ કરનારાઓની ટકાવારી છેલ્લાં 9 વર્ષોમાં વધી છે. રિપોર્ટ અનુસાર 2014માં ITR આધારિત સરેરાશ આવક 4 લાખ 40 હજાર રૂપિયા હતી જે 2023માં વધીને 13 લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે છેલ્લાં 9 વર્ષોમાં 8 લાખ 60 હજારનો વધારો જોવા મળ્યો છે.
ITR ફાઈલ કરનારાઓની સંખ્યા વધી
PM મોદીએ અનિલ પદ્મનાભરનની રિપોર્ટ શેર કરતાં લખ્યું કે ભારતમાં ઈનકમ ટેક્સ ફાઈલ કરનારાઓની સંખ્યા વધી છે. પદ્મનાભનની રિપોર્ટ અનુસાર વર્ષ 2013-14માં 5થી 10 લાખ રૂપિયાની આવકવાળા બ્રેકેટમાં આશરે 37 લાખ લોકોએ ITR ફાઈલ કર્યું હતું. જે 2022-23માં 1 કરોડ 10 લાખની ઉપર થયાં છે. જ્યારે 10થી 20 લાખની આવકવાળા બ્રેકેટમાં 2013-14માં 12 લાખ લોકોએ ITR ફાઈલ કર્યું હતું જે 2022-23માં વધીને 45 લાખ થયાં.
અનુપાલન પણ વધ્યું
PM મોદીએ પોસ્ટમાં દાવો કર્યો કે દેશમાં ન માત્ર લોકોની આવક વધી છે પરંતુ અનુપાલન પણ વધ્યું છે. તેમણે કહ્યું કે આ લોકોનાં સરકાર પ્રત્યેનાં વિશ્વાસને પ્રગટ કરે છે. આ ન માત્ર સરકારનાં સામૂહિક પ્રયત્નોને દર્શાવે છે પરંતુ એક રાષ્ટ્રનાં રૂપમાં તેમની ક્ષમતાને પણ દર્શાવે છે. વધતી સમૃદ્ધિ આપણી રાષ્ટ્રીય પ્રગતિ માટે શુભ સંકેત છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir