બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 12:26 PM, 13 April 2023
કેન્દ્ર સરકારની ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. તેના હેઠળ આજે દેશના કરોડો ખેડૂતોને ઘરે બેઠા 6000 રૂપિયાની મદદ મળે છે. આ રકમથી ખેડૂત પરિવારના વ્યક્તિગત ખર્ચા અથવા ખેતી સાથે જોડાયેલા નાના-મોટા ખર્ચમાં કરી શકે છે.
PM કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં 13 હપ્તા ટ્રાન્સફર કરી દેવામાં આવી ચુક્યા છે. આવતા 2થી 3 મહિનાની અંદર ખેડૂતોને 14મો હપ્તો 2,000 રૂપિયામાં પણ મળી જશે. એટલે કે આ ઉપરથી અંદાજો લગાવી શકાય કે જુન કે જુલાઈમાં 14માં હપ્તાના પૈસા ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ આ પહેલા ખેડૂત ભાઈઓને પોતાની પાત્રતા સિદ્ધ કરવા માટે વેરિફિકેશન કરાવવું જરૂરી છે.
કેઈ રીતે કરાવશો વેરિફિકેશન?
PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને હવે આવતો હપ્તો મેળવવા માટે પાત્રતા સિદ્ધ કરવી પડશે. તેના માટે સરકાર ઈ-કેવાયસીની પ્રક્રિયાને જરૂરી કરી દીધી છે.
ઈ-કેવાઈસી કરવા માટે તમારા નજીકના ઈ-મિત્ર કેન્દ્ર અથવા ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર ઓનલાઈન ઈ-કેવાઈસી કરી શકો છો.
સન્માન નિધિના લાભાર્થી બની રહેવા માટે ખેડૂતોને પોતાની જમીનનું રજીસ્ટ્રેશન પણ કરવવાનું રહેશે. આ પ્રક્રિયાને લેન્ડ સીડિંગ નામ આપવામાં આવ્યું છે. સાથે જ ખેડૂતોને આધાર સીડિંગ કરાવવું પણ જરૂરી છે.
આ દસ્તાવેજ છે જરૂરી
ઘણા ખેડૂત શરૂઆતથી જ સન્માન નિધિના હપ્તાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે ઘણા ખેડૂત આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ડિટેલ્સના આધાર પર PM કિસાન યોજનામાં શામેલ થયા હતા.
પરંતુ હવે ખેડૂતોને પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો, પોતાનું પ્રમાણ પત્ર, જમીનના કાગળ, નાગરિકતા પ્રમાણ પત્ર અને નવા ખેડૂતોને પોતાના રાશન કાર્ડ ડિટેલ શેર કરવું જરૂરી છે.
સ્ટેટસ ચેક કરો
PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં જે પણ કિસાન અપાત્ર છે. તેમનું નામ હટાવવામાં આવી રહ્યું છે. આ દસ્તાવેજ અને યોજનાના નિયમોના આધાર પર નિર્ધારિત કરવામાં આવે છે. આજ કારણ છે કે ખેડૂતોને સમય સમય પર લાભાર્થી યાદીમાં પોતાનું નામ ચેક કરવા માટે કહેવામાં આવે છે.
આ માટે ઓફિશ્યલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ. હોમ પેજ પર Farmers Cornerના સેક્શનમાં જાઓ અને Beneficiary Statusના વિકલ્પ પર ક્લિક કરો. અહીં ખેડૂતોને પોતાનું રજીસ્ટ્રેશન નંબર નોંધવો જરૂરી છે. અહીં ખેડૂત સમય સમય પર લાભાર્થી સ્ટેટસ તપાસી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir