બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pink colored water was seen in the bay area from Subhashnagar area to Karli bridge in Porbandar
Dinesh
Last Updated: 04:26 PM, 9 May 2023
પોરબંદરના સુભાષનગર વિસ્તારથી કરલીના પુલ સુધી ખાડી વિસ્તાર આવેલો છે. આ ખાડીમાં ખારા પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે અને ચેરના વૃક્ષોનું જંગલ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ છેલ્લા 2 દિવસથી ખાડીમાં ગુલાબી રંગનું પાણી જોવા મળતા નાગરિકો પણ ચોંકી ઉઠ્યા હતા. જુબેલી પુલથી ખાડીને જોતા સમગ્ર ખાડી ગુલાબી રંગે રંગાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે વેટ લેન્ડ પર સંશોધન કરનારા તજજ્ઞોએ જણાવ્યું હતું કે ખારા અને મીઠા પાણીનો સંગમ જે જગ્યાએ થાય છે ત્યાં રેડ અલગી નામની લિલનું પ્રમાણ વધુ હોય છે.
રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે
તજજ્ઞોએ કહ્યું કે, જ્યારે ગરમીના સમયે આ લિલમાંથી ગુલાબી રંગના દ્રવ્યો છૂટા પડતા હોય છે. જેથી પાણીનો રંગ ગુલાબી થઈ જતો હોય છે. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે પાણીનું રંગ બદલવાની જાણ થતા જ પાણીના નમૂના મંગાવવામાં આવે છે અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનો રંગ બદલવાનો સાચું કારણ જાણી શકાશે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે શું કહ્યું?
આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને પૂછતા જાણવા મળ્યું કે પાણીનો રંગ બદલાય એની જાણ થતાં જ અલગ અલગ સ્થળોએથી તેમનું સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલાવવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જ રંગ બદલવાનું સાચું કારણ સામે આવશે પરંતુ ખાડીનું પાણી ગુલાબી થવાનું મુખ્ય કારણ હવામાનમાં થતા ફેરફારને કારણે થાય છે અને આવી ઘટના ભૂતકાળમાં અનેક વખત સામે આવી છે.
તજજ્ઞોએ શું કહ્યું?
તજજ્ઞો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ખારા પાણીમાં લાલ રંગની લિલનું પ્રમાણ વધવાથી આ પાણીનો રંગ ગુલાબી થઇ શકે છે. વેટલેન્ડમાં દર વર્ષે આવતા હજારો ફ્લેમિંગો પક્ષી જે ઝૂપ્લાંકટોન થાય છે તે ઝૂપ્લાંકટોન આ લાલ રંગની ફૂગ ઉપર નભે છે જેથી ફ્લેમિંગોને પણ લાલ અને ગુલાબી રંગ મળે છે. ઝૂપ્લાંકટોન, નાના તરતા અથવા નબળા સ્વિમિંગ સજીવો કે જે પાણીના પ્રવાહો સાથે વહે છે અને ફાયટોપ્લાંકટોન સાથે પ્લાન્કટોનિક ખોરાકનો પુરવઠો બનાવે છે જેના પર લગભગ તમામ સમુદ્રી જીવો આખરે નિર્ભર હોય છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir