બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Pilgrims' cars returning from Adi Kailas darshan in Pithoragarh plunged into the valley
Priyakant
Last Updated: 10:48 AM, 25 October 2023
Pithoragarh News : ઉત્તરાખંડના પિથોરાગઢથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આદિ કૈલાશ દર્શન કરી પરત ફરતી વખતી અહીં એક ટેક્સીને ધારચુલાના લખનપુર વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. વિગતો મુજબ આ ટેક્સી કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ તરફ ટેક્સીમાં ડ્રાઈવર સહિત 6 લોકો સવાર હતા અને તે બધાના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને SDERFની ટીમે મોડી રાત સુધી તમામ મુસાફરોની શોધખોળ ચાલુ રાખી હતી, પરંતુ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બચાવ કામગીરી અટકાવવી પડી હતી. એસડીઆરએફની ટીમે બુધવારે સવારથી બચાવ કાર્ય ફરી શરૂ કરી દીધું છે.
પિથોરાગઢના ધારચુલાના લખનપુર વિસ્તારના પાંગલામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં આદિ કૈલાશ દર્શનથી પરત ફરી રહેલી ટેક્સી ઉંડી ખાઈમાં પડી હતી. પિથોરાગઢના પોલીસ અધિક્ષક લોકેશ્વર સિંહે જણાવ્યું કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે શ્રદ્ધાળુઓ આદિ કૈલાશના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મંગળવારે રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં ટેક્સીમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તેમણે કહ્યું કે, અંધકાર અને પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને કારણે રાત્રે મૃતદેહોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ શક્યું નથી. બુધવારે સવારથી સર્ચની કામગીરી શરૂ કરવામાં આવશે.
પોલીસ અને SDERFની ટીમ તપાસમાં લાગી
ઉત્તરાખંડ પોલીસ અને SDERFની ટીમે મોડી રાત સુધી શ્રદ્ધાળુઓના મૃતદેહોની શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો મળ્યો ન હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેક્સીમાં મુસાફરી કરી રહેલા કોઈપણ ભક્તના બચવાની કોઈ આશા નથી.
અકસ્માત ગ્રસ્ત કારની પાછળની કારના મુસાફરોએ શું કહ્યું ?
પાછળ મુસાફરી કરી રહેલા કારના મુસાફરોએ આપેલી માહિતી મુજબ અકસ્માતમાં સામેલ ટેક્સીની બરાબર પાછળ બીજી કાર દોડી રહી હતી. તેણે કાર પર કાબુ ગુમાવતા અને ખાડામાં પડતા જોયા. જે બાદ તેઓએ પોલીસને અકસ્માત અંગે જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર મોબાઈલ સિગ્નલ ન હોવાને કારણે તાત્કાલિક માહિતી આપી શક્યા ન હતા. મુસાફરો ધારચુલા પહોંચ્યા અને અકસ્માતની જાણ કરી ત્યારબાદ પોલીસ અને પ્રશાસન સાથે SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.
વાહનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો બેંગલુરુના રહેવાસી
અકસ્માતગ્રસ્ત ટેક્સીમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ બેંગલુરુના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ITBP તરફથી પોલીસને મળેલી નામોની યાદીના આધારે આ વાત સામે આવી છે. બેંગ્લોરના રહેવાસી આદિ કૈલાશ યાત્રી સત્યવર્ધ પરિધા, નીલપા આનંદ, મનીષ મિશ્રા અને પ્રજ્ઞા વારસમ્યા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. હિમાંશુ કુમાર અને વીરેન્દ્ર કુમાર સ્થાનિક રહેવાસી હોવાનું કહેવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir