બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vishal Khamar
Last Updated: 05:37 PM, 9 September 2023
છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 54 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીનાં ખેરગામમાં 2.1 ઈંચ જ્યારે ધમરપુરમાં 1.5 ઈંચ વરસાદ, અંકલેશ્વરમાં 1.4 ઈંચ, વલસડમાં 1.3 ઈંચ, ઓલપાડમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત શહેર, બારડોલી, મહુવામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં 2 દિવસ સુધી વરસાદની આગાહી
આવનારા 2 દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં શુક્રવાર રાત્રે વરસાદ વરસ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેમજ શહેરનાં પાલડી, નારણપુરા, વાસણા અને ગોતામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. તો પૂર્વ વિસ્તારમાં જમાલપુર, નરોડા, નિકોલમાં પણ વરસાદ વરસ્યો હતો. તો પાલડી, આશ્રમ રોડ, નવાવાડજ, વાડજ અને સાબરમતીમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. તેમજ સરખેજ, નારોલ, એસ.જી. હાઈવે સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેમજ આવનારા 2 દિવસ સુધી અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અનેક ફરિયાદો છતાં અધિકારીઓ ન સાંભળતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સ્માર્ટસિટી અમદાવાદમાં થોડા જ વરસાદમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં મણિનગરનાં જયહિંદ ચાર રસ્તા પાસે પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે સ્થાનિકોએ આ બાબતે અનેક વખત એએમસીમાં ફરિયાદ કરી હોવા છતાં અધિકારીઓ ન સાંભળતા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. તેમજ થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જાય છે.
ખેડૂતોએ મગફળી, કપાસ, બાજરી, જુવાર, દિવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું
ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ છેલ્લે દોઢ મહિનાથી વરસાદ ના આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટાયા હતા. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખેડાઈ કરીને મગફળી, કપાસ, બાજરી, જુવાર, દિવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જો કે વરસાદના આવતા આ તમામ પાકો છે તે મુરજાઈ રહ્યા હતા અને ખેડૂતો ભગવાન પાસે વરસાદ આવે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. હવે વરસાદની વાપસી થતા ખેડૂતોમાં નવી આશા જીવંત થઇ છે.
વરસાદ ખેંચાતા ખેડૂતોને મોટું નુકશાન થવાની ભીંતી સેવાઈ રહી હતી
પાલનપુર પંથકમાં મોટાભાગના ખેડૂતોને સિંચાઈનાં પાણીની ગંભીર સમસ્યા છે. પાણીનાં તળ ઉંડા જતા બોર ફેલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતો ચોમાસુ આધારીત ખેતી કરતા હોય છે. તારે આ વખતે ચોમાસા દરમિયાન ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ખેડૂતોને આશા હતી કે સારો વરસાદ આવશે અને પાકો તૈયાર થશે. પરંતુ દોઢ મહિનાથી વરસાદનાં વરસતા ખેડૂતોના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. પાણી ન મળવાના કારણે ખેડૂતોના પાકો તેમજ પશુપાલન માટે વાવેલું ઘાસચારો પણ સુકાઈ રહ્યો હતો.
વરસાદી માહોલ છવાતા પાકને નવું જીવન મળ્યું
ગઈકાલે જે વરસાદ આવ્યો અને તેને લઈને ખેડૂતોના પાકોને નવું જીવન મળ્યું છે જેનાથી ખેડૂતો અત્યારે ખુશ જોવા મળ્યા હતા ખેડૂતોનું કહેવું છે કે ઘણા દિવસો બાદ વરસાદ આવ્યો છે અને જેના કારણે અમારા પાકોને નવું જીવન મળ્યું છે હજુ પણ ભગવાન વધુ વરસાદ આપે તો આગામી સમયમાં પાકો તૈયાર થઈ શકે તેમ જ અન્ય પાકો પણ વાવી શકાય. ત્યારે હાલ તો ગઈકાલે થયેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોના જે પાક હતા તેમને નવું જીવતદાન મળ્યું છે અને આ વરસાદ પાકો માટે આશીર્વાદરૂપ બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir