બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Part of the fifth floor gallery collapsed in Kaliawadi and Ashanagar areas of Navsari
Dinesh
Last Updated: 03:41 PM, 17 June 2023
દીવા તળે અંધારું જેવો ઘાટ નવસારી જિલ્લામાં પણ જોવા મળ્યો છે. વિકસતા શહેરમાં વર્ષો જુની ઇમારતો જર્જરિત અવસ્થામાં છે. લોકોના જીવ માટે જોખમી આવી 200થી વધુ ઇમારતોને દર વર્ષે પાલિકા દ્વારા નોટિસો આપવામા આવે છે, પણ નોટિસો આપ્યા બાદ પણ ઘણી ઇમારતોના માલિકો દ્વારા તેનું સમારકામ કરાતું નથી. જેના કારણે આવી જોખમી ઇમારતોના કારણે આસપાસમાં રહેતા લોકો માટે આ જોખમી બની છે.
4 બાઈક અને એક કારને નુકસાન થયું
નવસારીના કાલિયાવાડી અને આશાનગર વિસ્તારમાં ઈમારતના ફ્લેટનો ભાગ ધારાશાયી થયો છે. સોના ચેમ્બર્સ નામના એપાર્ટમેન્ટનો પાંચમા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો થતાં 4 બાઈક અને એક કારને નુકસાન થયું છે. ગાયકવાડી સમયમા વિકસેલા નવસારી શહેરમાં 200થી વધુ ઇમારતો જર્જરિત છે, જ્યારે 15થી 20 ઇમારતો અતિ જર્જરીત અવસ્થામાં છે. નવસારી વિજલપોર નગર પાલિકા દ્વારા શહેરની આવી ઇમારતોને સર્વે કર્યા બાદ દર વર્ષે સમારકામ કરાવવા અથવા અતિ જર્જરિત ઇમારતને ઉતારી પાડવા નોટિસો પાઠવવમા આવે છે. પરંતુ ઘણી જુની ઇમારતોમા ભાડૂઆત અને માલિકો વચ્ચે તો કેટલીક ઇમારતોમાં કાયદાકિય ગુંચ હોવાને કારણે સમારકામ પણ થતુ નથી. જેના કારણે જર્જરીત ઇમારતોની આસપાસના લોકો તેમજ મુખ્ય રસ્તા કે ગલી મોહલ્લામાંથી પસાર થતા રાહદારીઓને માટે જોખમી બની રહે છે.
નક્કર કાર્યવાહી ક્યારે કરશે ?
આવનાર દિવસોમાં નવસારી વિજલપોર નગરપાલિકા કયા પગલાંઓ લઈ આ અંગે શું કાર્યવાહી કરશે તે મહત્વનું રહ્યું. જર્જરિત ઇમારતોને પાલિકા દર વર્ષે નોટિસો આપીને જ સંતોષ માની લે છે, આવી જોખમી જર્જરિત ઇમારતોના માલિકો સામે નક્કર પગલા ભરતી નથી, જોખમી ઇમારતો પ્રવાસીઓ માટે અને રાહદારીઓ માટે જોખમરૂપ સાબિત થઈ શકે એમ છે ત્યારે પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગીને નક્કર કામગીરી કરવાની જરૂર છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir