બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Organized Sant Sammelan in Gujarat under the chairmanship of Mohan Bhagwat

SHORT & SIMPLE / મોહન ભાગવતની અધ્યક્ષતા હેઠળ ગુજરાતમાં સંત સંમેલનનું આયોજન, અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા

Malay

Last Updated: 09:31 AM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં હિન્દુ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર હાજરી આપી શકે છે. RSSના વડા મોહન ભાગવતની અધ્યક્ષતામાં સંત સંમેલન યોજાઈ રહ્યું છે.

 

  • RSS વડા મોહન ભાગવત ગુજરાતમાં
  • હિન્દુ મહાસભાના નેજા હેઠળ આશ્રમમાં સંત સંમેલન
  • સંતો સાથે મોહન ભાગવની ગુપ્ત બેઠકનું આયોજન
  • સંત સંમેલનમાં અમિત શાહ પણ આપી શકે છે હાજરી

અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ મહાસભાના નેજા હેઠળ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ અત્યારે શિવાનંદ આશ્રમ ખાતે પહોંચ્યા છે.

દેશભરમાંથી સંતો સંમેલનના લેશે ભાગ
હિન્દુ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનમાં દેશભરના સંતો ભાગ લેશે. આ સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. આ સંત સંમેલનમાં આખો દિવસ ચર્ચાઓનો દૌર ચાલશે. દેશભરમાંથી સંતો સંમેલનના ભાગ લેશે. સંતો સાથે મોહન ભાગવની ગુપ્ત બેઠકનું આયોજન કરાયું છે. 

સંત સંમેલનમાં અમિત શાહ આપી શકે છે હાજરી
સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં આયોજિત સંત સંમેલનમાં અમિત શાહ હાજરી આપી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ