બ્રેકિંગ ન્યુઝ
પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
VTV / mohan bhagwat said india should become an ideal society for the world
Pravin
Last Updated: 07:01 PM, 21 August 2022
સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતને દુનિયા માટે આદર્શ સમાજ બનાવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, આરએસએસ સમાજને એકજૂટ કરવા અને તેની ભલાઈ માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આવું કરવું જરૂરી છે, જેથી ભારત સંપૂર્ણ વિશ્વ માટે એક આદર્શ સમાજ બની શકે.
RSS પ્રમુખે કહ્યું કે, સમાજ જ્યારે એક વાતાવરણમાં એક મન અને સંકલ્પને ળઈને ઊભો થાય છે, તો વાસ્તવમાં તેને જ સમાજ કહે છે. સમાજ એટલે કે સહયોગથી એકઠા થયેલા લોકો નહીં પણ સમાજ એ છે કે, જેની સામે એક સમાન ઉદ્દેશ્ય હોય .
સરસંઘચાલકે કહ્યું કે, દેશની સ્વતંત્રતા માટે સમાજના અલગ અલગ વર્ગોએ બલિદાન આપ્યું. અનેક વિભૂતિઓના યોગદાન અને બલિદાન બાદ જ દેશને આઝાદી મળી. આપણે સમાજ તરીકે વિચારીએ છીએ. અમારા માટે વ્યક્તિગત કંઈ નથી. અમારે આ ભાવને હજૂ આગળ લઈ જવાનો છે. આજ આપણા ભારતીયોના ડીએનએ અને માળખાગત સ્વભાગત છે.
ભાગવતે કહ્યું કે, સંઘના સ્વયંસેવકો ક્યારેય પણ વ્યક્તિગત હિતો પર ધ્યાન આપતા નથી. તે હંમેશા સંપૂર્ણ સમાજ માટે કામ કરે છે અને આગળ પણ કરતા રહેશે. અમે સમાજ માટે કામ કરતા હું અને મારાપણાના ભાવથી ઉપર ઉઠવાની જરુર છે. તેનાથી આપણને એક સમાજ તરીકે વિકસિત થવામાં મદદ મળશે.
હકીકતમાં ભાગવત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દિલ્હી એકમના એક કાર્યક્રમમા ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણ કાર્યક્રમને સંબોધન કર્યો અને સ્વયંસેવકો તરફથી ચલાવવામાં આવતા કલ્યાણકારી કાર્યોની વાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ