બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Mass suicide incident of 5 people in main canal of Narmada in Tharad, Banaskantha

બનાસકાંઠા / થરાદમાં હચમચાવી દેનારી ઘટનાઃ પ્રેમી સાથે મહિલા અને ત્રણ બાળકોના આપઘાતની ઘટના, સમગ્ર પંથકમાં હડકંપ

Vishnu

Last Updated: 06:27 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદાની મુખ્ય કેનાલ પ્રેમી સાથે મહિલાએ ત્રણ બાળકો સહિત આપઘાત કર્યો, 3 મૃતદેહ મળ્યા 2ની શોધખોળ ચાલુ

  • થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામુહિક આપઘાત
  • ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ કર્યો આપઘાત
  • ત્રણ બાળકોના મૃતદેહ કેનાલમાંથી મળ્યા

ગુજરાતમાં સામૂહિક આપઘાતના બનાવમાં એકાએક વધારો થયો છે. કોઈ દેણું થતાં આપઘાત કરી રહ્યું છે તો કોઈ ઘરકંકાસથી કંટાળી જીવન ટુકાવી રહ્યું છે. પ્રેમમાં પાગલ યુવક યુવતીઓ પણ છેલ્લો રસ્તો અપનાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામુહિક આપઘાતની ઘટના બહાર આવતા ચકચાર મચી છે.

બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી છે. પ્રેમી સાથે મહિલાએ ત્રણ બાળકોને સાથે લઈ આત્મહત્યા કરી લીધી છે. ત્રણ બાળકોના મૃતદેહ કેનાલમાંથી મળ્યા છે જ્યારે પ્રેમી અને મહિલાના મૃતદેહની શોધખોળ ચાલુ છે.

બનાવની જાણ થતાં જ આસપાસના ગામના લોકોના ટોળે ટોળાં ઘટના સ્થળ પર ઉમટી પડ્યા છે. આ પ્રેમીઑએ બાળકો  સાથે કેમ આપઘાત કર્યો તેનું કારણ હજુ અકબંધ છે. હદ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રેમી અને મહિલાના મૃતદેહને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે જ્યારે બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ