બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Mass suicide in Vadodara: How to stop financial hardship from tearing families apart? Responsible for the trend of larger sod braces than hindquarters
Vishal Khamar
Last Updated: 09:14 PM, 2 August 2023
કદાચ આ સંસારમાં વ્યક્તિને બે વાતનો સૌથી વધુ ડર લાગતો હોય છે. એક તો પોતાની પ્રતિષ્ઠા ગુમાવવાનો અને બીજો મૃત્યુનો. જો તમારુ જીવન આટલુ જ કિંમતી છે, ઈશ્વરે તમને મનુષ્ય અવતાર આપ્યો છે તો એ જીવનની વ્યક્તિ કદર કેમ નથી કરતો?. વડોદરાના રાવપુરામાં પરિવારના સામૂહિક આપઘાતની ચર્ચા ચાલી રહી છે.. થોડા સમયથી જે કારણ સામે આવે છે તેમ આ કિસ્સામાં પણ આર્થિક સંકડામણ જ જવાબદાર માનવામાં આવી રહી છે.
વડોદરામાં સામૂહિક આપઘાતનો આ પહેલો કિસ્સો નથી કારણ કે તાજેતરના બે-ત્રણ મહિનામાં જ વડોદરામાં પરિવારે જીવન ટૂંકાવ્યાના કિસ્સા બન્યા.. માત્ર વડોદરા જ નહીં સુરત અને રાજકોટમાં પણ એવા કિસ્સા બન્યા કે જેમાં આર્થિક સંકડામણથી કંટાળીને પરિવારે કે પરિવારના મોભીએ આપઘાત કરી લીધો હોય. હવે તીખો સવાલ એ છે કે શું દરેક વખતે આર્થિક સંકડામણ એ હદે વણસી જાય કે આપઘાત સિવાય કોઈ રસ્તો જ ન નિકળે. પરિવારના બાકીના સભ્યોનો એવો તે શું વાંક છે કે તેને મૃત્યુ મળે. કેટલાક કિસ્સામાં પરિવારમા માસૂમ બાળકો સાથે મા-બાપ આપઘાત કરી લે છે તો એ માસૂમ બાળકોનો શું વાંક હતો. કિંમતી જીવનને પળવારમાં મૃત્યુની ચાદર કેમ ઓઢાડી દેવામાં આવે છે.. શું પરિવારજનો સાથે વ્યક્તિના સંવાદ ખતમ થઈ ગયા છે કે એ પોતાની વિમાસણ કે મૂંઝવણ કોઈને જણાવી શકતો નથી. શું આર્થિક સંકડામણ પાછળ જવાબદાર કારણોમાં આપણી જીવનશૈલી, આશા-અપેક્ષાઓના બોજ વધી ગયા છે કે કેમ.
વડોદરાના રાવપુરામાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો. પરિવારના આપઘાત માટે આર્થિક સંકડામણ જવાબદાર હોવાનું તારણ સામે આવ્યું છે. મુકેશ પંચાલ, નયના પંચાલ અને મિતુલ પંચાલના મૃત્યુ થયું. પરિવાર ભાડે રહેતો હતો અને મકાન ખાલી કરવાનું હતું. મકાન ખાલી કરવાને લઈને પરિવાર ચિંતામાં હતો. પહેલા પત્ની અને દીકરાના મૃત્યુ થયા. જે બાદ સારવાર દરમિયાન પરિવારના મોભીનું પણ મૃત્યુ થયું.
વડોદરાના પરિવાર સાથે શું થયું હતું?
મુકેશ પંચાલ તેના પરિવાર સાથે ભાડે રહેતા હતા. મુકેશ પંચાલ વોચમેનની નોકરી કરતા હતા. મુકેશ પંચાલનો દીકરો શિક્ષિત હતો પરંતુ કશુ કમાતો ન હતો. એવી પણ વાત સામે આવી કે દીકરાએ શેરબજારમાં રૂપિયા ગુમાવ્યા હતા. મકાન માલિકે મકાન ખાલી કરવા અગાઉથી જાણ કરી દીધી હતી. જે દિવસે મકાન ખાલી કરવાનું હતું એ જ દિવસે પરિવારે આપઘાત કર્યો. મકાન માલિક પણ પરિવાર મુશ્કેલીમાં હોય એવી કોઈ વાત જાણતા ન હતા. પરિવારે ભાડાનું બીજુ ઘર પણ શોધ્યું હતું.
આપઘાત અંગે પરિવારજનો શું કહે છે?
મૃતક નયનાબેનના ભાઈએ પોતાના વ્યથા ઠાલવી છે. નયનાબેનના ભાઈએ કહ્યું કે બેનનો પરિવાર આર્થિક મુશ્કેલી અનુભવતો હતો. સમયાંતરે ભાઈ તરફથી આર્થિક મદદ મળતી હતી. આપઘાતના થોડા દિવસ અગાઉથી બહેન સાથે સંપર્ક થતો ન હતો. પરિવારજનોએ પણ ફોન ઉપાડ્યો નહીં અને સંપર્ક ન થઈ શક્યો. દીકરો મિતુલ બે વર્ષથી કોઈ કામધંધો કરતો ન હતો. મૃતક મુકેશભાઈના ભાઈ પણ આપઘાતની ઘટનાથી વ્યથિત છે. મૃતક મુકેશભાઈને તેના નાનાભાઈ સાથે સંબંધ ન હતો. 15 વર્ષ કરતા વધુ સમયથી બંને વચ્ચે વાતચીત થઈ ન હતી.
વડોદરામાં જ ચાર પરિવાર પીંખાયા
ઓગસ્ટ 2023
જુલાઈ 2023
જૂન 2023
જાન્યુઆરી 2023
માર્ચ 2021
વધતી આર્થિક સંકડામણ
104 હેલ્થ હેલ્પલાઈનને કેટલા કોલ મળ્યા? |
એપ્રિલ 2023 |
2 |
મે 2023 |
1 |
જૂન 2023 |
1 |
વેરી બનતી આર્થિક સંકડામણ
સુરતમાં લુમ્સના કારખાનેદારે આપઘાત કર્યો. 43 વર્ષીય વ્યક્તિ લુમ્સની ફેક્ટરી ચલાવતો હતો. ધંધામાં મંદીના કારણે આર્થિક સંકડામણ વધતા આપઘાત કર્યો. સુરતના સરથાણામાં રત્નકલાકારે પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કર્યો. મા, દીકરા અને દીકરીનું મૃત્યુ થયું. રાજકોટના ઘનશ્યામનગરમાં રહેતા સિકંદર નામના યુવકે આપઘાત કર્યો. તેમજ યુવકે તેની માતાને પણ ઝેર આપ્યું. યુવક આર્થિક સંકડામણ અનુભવતો હોવાનું સામે આવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir