બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / મનોરંજન / malyalam superstar sreenivasan shifted to ventilator after emergency cardiac surgery know more

શૉકિંગ / સુપરસ્ટારની હાલત નાજુક: બાયપાસ સર્જરી બાદ વેન્ટિલેટર પર કરાયા શિફ્ટ, ફેન્સ માંગી રહ્યા છે દુઆ

Arohi

Last Updated: 11:43 AM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલયાલમ એક્ટર શ્રીનિવાસ હોસ્પિટલમાં દાખલ છે. ઈમરજન્સી બાયપાસ સર્જરી બાદ તેમની હાલત ગંભીર છે.

  • ફેમસ એક્ટર શ્રીનિવાસનની હાલત નાજુક
  • હોસ્પિટલમાં વેન્ટિલેટર પર
  • 30 માર્ચે આવ્યો હતો કાર્ડિયક અરેસ્ટ

મલયાલમ ફિલ્મોના ફેમસ એક્ટર શ્રીનિવાસનની હાલત નાજુક છે. તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. નેશનલ એવોર્ડ જીતી ચુકેલા શ્રીનિવાસનને ગયા 30 માર્ચે કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. જ્યાર બાદ 31 માર્ચે તેમની ઈમરજન્સી બાયપાસ સર્જરી કરવી પડી હતી. 

31 માર્ચે હતો જન્મ દિવસ 
હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમની તબીયતમાં સુધારો થઈ રહ્યો છે. જેના કારણે તેમને સ્ટેબલ કરવા માટે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મેડિકલ રિપોર્ટ અનુસાર, શ્રીનિવાસન ટ્રિપલ વેસલ ડિઝીઝથી પીડિત છે. મહત્વની વાત એ છે કે 31 માર્ચે જ શ્રીનિવાસનનો 66મો જન્મ દિવસ પણ હતો.  

સોશિય મીડિયા પર 'ગેટ વેલ સૂન'ના મેસેજ
શ્રીનિવાસનની હાલત નાજુક હોવાની ખબર આવતા જ ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ્ય થવાની કામના કરી રહ્યા છે. સોશિય મીડિયા પર 'ગેટ વેલ સૂન'ના મેસેજ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર એક્ટર્સમાંથી એક શ્રીનિવાસને 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક્ટર હોવાની સાથે તે લોકપ્રિય સ્ક્રિપ્ટ રાઈટર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ છે. 

પરિવારમાં પત્ની અને બે દિકરા 
પોતાના 50 વર્ષથી વધુ લાંબા કરિયરમાં શ્રિનિવાસને મોહનલાલની સાથે સૌથી વધારે ફિલ્મો કરી છે. વર્ષ 1976માં એક્ટિંગ ડેબ્યુ કરનાર શ્રીનિવાસની સુપરહિટ ફિલ્મોમાં 'ગાંધીનગર 2 સ્ટ્રીટ', 'વરવેલપુ', અને 'નાડોડિક્કટ્ટૂ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. પરિવારમાં શ્રીનિવાસનની પત્ની ઉપરાંત બે દિકરા વિનીત અને ધ્યાન પણ છે. બન્ને બાળકો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ