બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ભારત / Major success for Hindu party in Mathura-based Shahi Idgah Mosque case, Allahabad High Court allows survey
Megha
Last Updated: 03:04 PM, 14 December 2023
#WATCH | On Krishna Janmabhoomi case, Vishnu Shankar Jain, the lawyer for the Hindu side says, "Allahabad HC has allowed our application where we had demanded survey of (Shahi Idgah Masjid) by advocate commissioner. The modalities will be decided on Dec 18. The court has rejected… pic.twitter.com/OLSeYYSe50
— ANI (@ANI) December 14, 2023
ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. વાત એમ છે કે 'ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન' સહિત 7 લોકોએ વકીલ દ્વારા ઈલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં ASI સર્વેની માંગ કરવામાં આવી હતી.
વધુમાં વાત કરીએ તો અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા સંકેતો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું.
મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ કેસ અંગે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે સર્વે કરવાની મંજૂરી આપી છે. એક તરફ કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. બીજી તરફ ઈદગાહ કમિટી અને વક્ફ બોર્ડની દલીલોને કોર્ટે ફગાવી દીધી છે.
BIG BREAKING | શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ: મથુરાના શાહી ઇદગાહ મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષને મોટી સફળતા, ઇલાહાબાદ હાઇકોર્ટે આપી સર્વેને મંજૂરી#Mathura #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 14, 2023
સર્વેમાં શું શું થશે?
હિન્દુ પક્ષની અરજી પર હાઈકોર્ટે શાહી ઈદગાહ સંકુલના ASI સર્વે અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. અગાઉ વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલનો સર્વે પણ એડવોકેટ કમિશનરની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. શાહી ઇદગાહ કેસમાં પણ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી થવી જોઇએ તેવી હિન્દુ પક્ષ તરફથી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત શાહી ઈદગાહમાં તે તથ્યોની પણ તપાસ કરવામાં આવશે જેમાં હિન્દુ પક્ષે મસ્જિદમાં ઘણા હિન્દુ પ્રતીક હોવાનો અને મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવાનો દાવો કર્યો છે.
વિષ્ણુ જૈને કહ્યું કે 1669માં ઔરંગજેબે આદેશ આપ્યો હતો આ જગ્યા પર હિન્દુ મંદિર તોડી નાખવામાં આવે. જે બાદ આ જગ્યા પર શાહી ઈદગાહ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમને આગળ કહ્યું કે જે રીતે જ્ઞાનવાપીમાં ઘણા તથ્યો સામે આવ્યા હતા એવી જ રીતે મથુરામાં એડવોકેટ કમિશનર સર્વે બાયદ ઘણા તથ્યો સામે આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir