બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 07:15 AM, 4 April 2023
મહાવીર જયંતીને જૈન સમાજ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જૈન સમાજના લોકો સવારે ભગવાન મહાવીરની પૂજા-અર્ચના કરે છે અને ખૂબ ધૂમધામથી આ જયંતીને ઉજવે છે. મહાવીર જયંતી ચૈત્ર શુક્લ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે.
જણાવી દઈએ કે જૈન સમાજના બધા તહેવાર દિવસમાં ઉજવવામાં આવે છે. એટલે કે સૂર્ય ઉદયના બાદ તહેવારોને ઉજવાવામાં આવે છે. આ વર્ષે, ચાર એપ્રિલે પહેલી તેરસની ઉદિયા તિથિ ઉજવવામાં આવી રહી છે. આજ કારણ છે કે 4 એપ્રિલે આ તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવશે.
મહાવીર જયંતી પર કાઢવામાં આવે છે ભવ્ય શોભા યાત્રા
મહાવીર જયંતીના દિવસે સમાજ દ્વારા સવારથી લઈને બપોર સુધી પૂજા-પાઠનું કાર્ય ચાલે છે. ત્યાર બાદ સાંજના સમયમાં ભગવાન મહાવીરની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવે છે જેમાં જૈન સમાજના બાળકો, યુવાનો અને વૃદ્ધો બધા જ ઉત્સાહ પૂર્વક શામેલ થાય છે.
2621 વર્ષ પહેલા થયો હતો મહાવીર સ્વામીનો જન્મ
જૈન સમાજના પંડિત મહેશ કુમાર જૈને જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીજીનો જન્મ આજથી 2621 વર્ષ પહેલા બિહારના વૈશાલીમાં થયો હતો. જ્યારે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો ત્યારે દેવોએ આવીને તેમનો જયજયકાર કર્યો હતો.
ઈંદ્ર પોતાના એરાવત હાથી પર બેસીને આવ્યા હતા અને ભગવાન મહાવીરને તેના પર બેસાડી પાંડૂપ શિલામાં લઈ ગયા હતા. ત્યાં તેમનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
જાણો શુભ મુહૂર્ત
ભગવાન મહાવીર સ્વામી જયંતીના દિવસે તેમની પૂજા-પાઠનું શુભ મુહૂર્ત સવારે 6.30 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેના બાદ 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી અને શોભા યાત્રાનો સમય 03.30થી 5.30 વાગ્યા સુધી રહેશે.
આ સમયે જો ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના કરવામાં આવે તો આપણા જીવનમાં રિદ્ધિ-સિદ્ધિ સંપન્નતા આવશે. સાથે જ આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.
અભિષેક બાદ માંગલિક વસ્તુઓનો ચડાવો
જ્યારે આપણે મહાવીર સ્વામીનો અભિષેક કરીએ છીએ તો તેના બાદ માંગલિક વસ્તુઓના ઉપાયો કરવામાં આવે છે. તે માંગલિક વસ્તુઓમાં ચોખાને પીળા કરી લેવામાં આવે છે તેને પુષ્પ કહેવામાં આવે છે. એવી જ રીતે નારિયેળને નૈવેદ્ય કહેવામાં આવે છે.
નારીયેળની કાછલીને પાળી કરી તેને આપણે દિવો કરીએ છીએ. લવિંગના ટકડાને આપણે ધૂપ કહીએ છીએ. બદામ, ફળ વગેરે સામગ્રી મળવા પર તેને આપણે અર્ધ કહીએ છીએ. તેને જળ, ચંદન વગેરે આઠ દ્રવ્યોથી ભગવાન મહાવીરની આરાધના કરીએ છીએ. જે મંગળ દ્રવ્ય કહેવાય છે. આ મંગળ દ્રવ્ય આપણે ભગવાન મહાવીરને સમર્પિત કરીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir