બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Madhya Pradesh: Rajjan Khan enters Bageshwar Dham temple with desi pistol and ammunition, arrested

ક્રાઈમ / બાગેશ્વર બાબા પર આવેલું સંકટ ટળ્યું ! કારતૂસવાળી પિસ્તોલ સાથે ઝડપાઈ ગયો યુવાન, પોલીસ દોડતી થઈ

Hiralal

Last Updated: 03:53 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલા બાબા બાગેશ્વર ધામમાંથી દેશી પિસ્તોલ સાથે એક યુવાનની ધરપકડ કરાઈ છે.

  • દિવ્ય દરબારથી ફેમસ બનેલા બાબા બાગેશ્વર આશ્રમમાંથી હથિયાર સાથે શખ્સ ઝડપાયો
  • દેશી કટ્ટા લઈને ફરતો જોવાતા ભક્તોએ પોલીસને જાણ કરી
  • પોલીસે આવીને ધરપકડ કરી, દેશી કટ્ટો રાખવો ગેરકાયદેસર 

મધ્યપ્રદેશના છતરપુરના બાગેશ્વર ધામમાંથી પોલીસે રાજજન ખાન નામના શખ્સની ધરપકડ કરી છે. તે દેશી બનાવટની પિસ્તોલ લઈને ફરી રહ્યો હતો ત્યારે ભક્તોએ તેને જોયો. તેમણે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હથિયાર સાથે યુવકની ધરપકડ કરી હતી.

પોલીસે તલાશી લેતા તેની પાસેથી 315 બોરની પિસ્તોલ અને કારતૂસ મળ્યાં 
ભક્તોએ પોલીસને જણાવ્યું કે બાગેશ્વર ધામ મંદિરના પરિક્રમા રૂટ પર એક વ્યક્તિ ફરી રહ્યો હતો. તે હથિયાર લઇને જતો જોવા મળી રહ્યો છે. આ સાંભળીને બામિથા પોલીસ સ્ટેશનની પોલીસ બાગેશ્વર ધામ પહોંચી હતી અને યુવકને પોતાના કબ્જામાં લીધો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી 315 બોરની પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા.

કોણ છે જાણવા પોલીસ તેના ઘેર પહોંચી 
પોલીસના જણાવ્યા અનુસાર યુવક શિવપુરી રહેવાસી છે. તે કોણ છે અને શા માટે પિસ્તોલ લઈને બાબા બાગેશ્વર ધામ આવ્યો હતો તે જાણવા માટે પોલીસે તેના ઘેર પણ પહોંચી છે. યુવક બાગેશ્વર ધામમાં કયા હેતુથી આવ્યો હતો? પિસ્તોલ ક્યાંથી આવી તેનીમાહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે દેશી પિસ્તોલ રાખવી ગેરકાયદેસર છે તેનું લાઈસન્સ નથી મળી શકતું. આ હથિયાર સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો કોઈ રાખે તો તેને ગુનો માનવામાં આવે છે. કોઈ પણ ધાર્મિક સ્થળે કોઈપણ પ્રકારના ગેરકાયદેસર હથિયારોની મંજૂરી નથી.

કોણ છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમના પર મહારાષ્ટ્રના અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિના ઉપાધ્યક્ષ શ્યામ માનવે ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ધીરેન્દ્ર શાસ્ત્રીને અનેક હિન્દુ સંગઠનોએ ટેકો આપ્યો હતો. તાજેતરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ બિહાર અને ગુજરાતમાં પોતાનો દિવ્ય દરબાર સ્થાપ્યો છે. બિહારમાં લાખો શ્રદ્ધાળુઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ ઘણી વખત વ્યક્ત કરી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ