બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / મનોરંજન / બોલિવૂડ / madhya pradesh minister narottam mishra statement on shah rukh khan and aamir khan puja archana
Premal
Last Updated: 02:48 PM, 15 December 2022
અભિનેતાઓની પૂજા-અર્ચના પર MPના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનુ નિવેદન
આમિર ખાન અને હિન્દી સિનેમાના કિંગ શાહરૂખ ખાન હાલમાં પૂજા-અર્ચના કરતા દેખાયા. આમિરની તસ્વીરો આવી હતી. જેમાં તેઓ ઓફિસમાં કળશ પૂજા કરી રહ્યાં હતા. જ્યારે થોડા દિવસ પહેલા શાહરૂખ ખાન કટરામાં વૈષ્ણો દેવી માતાના દરબારમાં દર્શન કરવા ગયા હતા. આ બંને અભિનેતાના પૂજા-અર્ચના બાબતે મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે બધાને પોતાની આસ્થા મુજબ પૂજાનો અધિકાર છે, પરંતુ કોઈની લાગણીને દુભાવી ના જોઈએ.
સમાજ જાગૃત થયો છે: નરોત્તમ મિશ્રા
એક પત્રકાર પરિષદ દરમ્યાન ગૃહ મંત્રીને સવાલ થયો કે શાહરૂખ વૈષ્ણો દેવી ગયા અને આમિર પૂજા કરતા દેખાયા, જવાબમાં નરોત્તમ મિશ્રાએ કહ્યું, સમાજ હવે જાગૃત થયો છે. આ વાત હવે આ બધાને સમજમાં આવી ગઇ છે તો સારું છે. બધાને પોતાની આસ્થા મુજબ પૂજા કરવાનો અધિકાર છે. જેની આસ્થા જેમાં છે, તેઓ તેમની પૂજા કરે, પરંતુ કોઈની લાગણી ના દુભાવે. માત્ર એટલી જ વાત છે.
सभी को अपनी-अपनी आस्था के अनुसार पूजा-अर्चना करने का अधिकार है, लेकिन किसी की भावना को आहत नहीं करें। pic.twitter.com/DCl3Q6joJy
— Dr Narottam Mishra (@drnarottammisra) December 13, 2022
શાહરૂખ અને આમિરની તસ્વીરો થઇ હતી વાયરલ
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા શાહરૂખ ખાનના અમુક વીડિયો અને તસ્વીરો સામે આવી હતી. જેમાં તેઓ વૈષ્ણો દેવી મંદિરમાં ગયા હતા. રિપોર્ટસમાં કહેવામાં આવ્યું હતુ કે શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણની સફળતાની દુઆ માંગવા પહોંચ્યા હતા. તો આમિર ખાને પણ હાલમાં પોતાની ઓફિસમાં પૂજા કરી હતી અને માથા પર ચાંલ્લો કર્યો હતો. આ બંને સેલિબ્રિટીઓની તસ્વીરોને પ્રશંસકોએ ખૂબ પસંદ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir