બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Low hemoglobin in the body is harmful to health
Pooja Khunti
Last Updated: 08:58 AM, 23 January 2024
હિમોગ્લોબિન એ લોહીમાં જોવા મળતું પ્રોટીન છે. જે શરીરની પેશીઓને ઓક્સિજન પહોંચાડે છે. તમારા શરીરની પેશીઓમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવવા માટે, હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય હોવું જોઈએ. જો તે વધુ કે ઓછું હોય તો ઓક્સિજનનો પુરવઠો ખોરવાઈ શકે છે અને લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. કેટલીકવાર જો હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય, તો તે એનિમિયાની નિશાની પણ હોઈ શકે છે. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે, હિમોગ્લોબિનનું સ્તર સમયાંતરે તપાસવું જોઈએ. સ્ત્રી અને પુરુષ બંનેના શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર અલગ-અલગ હોય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં હિમોગ્લોબિન થોડું ઓછું હોય છે.
એનિમિયા
એક ખાનગી અહેવાલ મુજબ, પુખ્ત પુરુષોમાં 14 થી 18 g/dL વચ્ચે હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય માનવામાં આવે છે. જ્યારે પુખ્ત સ્ત્રીઓમાં હિમોગ્લોબિનનું સ્તર 12 થી 16 g/dl વચ્ચે સામાન્ય માનવામાં આવે છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું થઈ જાય છે, ત્યારે તે વ્યક્તિને એનિમિયા હોવાનું માનવામાં આવે છે. એનિમિયા એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિના શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનો પૂરતો પુરવઠો નથી હોતો. આવી સ્થિતિમાં વ્યક્તિ ખૂબ જ થાક અને નબળાઈ અનુભવવા લાગે છે. ગંભીર એનિમિયા હૃદય અને ફેફસાની સમસ્યાઓનું કારણ બની શકે છે. તમામ લોકોએ સમયાંતરે તેમના બ્લડનું ચેકઅપ કરાવવું જોઈએ. જેથી હિમોગ્લોબિન સ્તર પર નજર રાખી શકાય.
વાંચવા જેવું: એક એવું ફળ કે જેને ખાવા માત્રથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા, ભગવાન રામ સાથે છે કનેક્શન
હિમોગ્લોબિન વધારવા શું કરવું
હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે, આયર્નયુક્ત ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. આયર્ન એ એક તત્વ છે. જે હિમોગ્લોબિનનું ઉત્પાદન વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે માંસ, માછલી અને ઈંડા સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકો શાકાહારી છે, તેઓ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે કઠોળ, લીલા શાકભાજી, બદામ અને બીજનું સેવન કરી શકે છે. આ વસ્તુઓમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે એનિમિયાના જોખમને દૂર કરી શકે છે અને હિમોગ્લોબિનનું પ્રમાણ વધારી શકે છે. જો ખાવા-પીવા છતાં તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે, તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને દવા લેવી જોઈએ. આ પણ કોઈ રોગની નિશાની હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir