બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 01:29 PM, 11 December 2023
Article 370 Verdict : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું છે. PM મોદીએ સોમવારે #NayaJammuKashmir હેશટેગ સાથે ટ્વિટ કરીને કહ્યું કે, કલમ 370 નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને બંધારણીય રીતે સમર્થન આપે છે.
શું કહ્યું PM મોદીએ ?
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ લખ્યું કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં અમારી બહેનો અને ભાઈઓ માટે આ આશા, પ્રગતિ અને એકતાની મોટી જાહેરાત છે. અદાલતે તેમના ગહન જ્ઞાનથી એકતાના મૂળ તત્ત્વને મજબૂત બનાવ્યું છે, જેને આપણે ભારતીયો તરીકે, બધાથી વધુ પ્રિય અને વહાલ કરીએ છીએ.
Today's Supreme Court verdict on the abrogation of Article 370 is historic and constitutionally upholds the decision taken by the Parliament of India on 5th August 2019; it is a resounding declaration of hope, progress and unity for our sisters and brothers in Jammu, Kashmir and…
— Narendra Modi (@narendramodi) December 11, 2023
તમારા સપના પૂરા કરવા માટે અતૂટ પ્રતિબદ્ધતા: PM મોદી
આ સાથે તેમણે કહ્યું, 'હું જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકોને ખાતરી આપવા માંગુ છું કે તમારા સપના પૂરા કરવાની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે પ્રગતિના લાભો માત્ર તમારા સુધી જ નહીં, પરંતુ કલમ 370ને કારણે સહન કરનારા આપણા સમાજના સૌથી સંવેદનશીલ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સુધી પણ પહોંચે.
PM મોદીએ કહ્યું કે, આજનો નિર્ણય માત્ર કાનૂની નિર્ણય નથી. તે આશાનું કિરણ છે, ઉજ્જવળ ભવિષ્યનું વચન છે અને એક મજબૂત, વધુ અખંડ ભારતનું નિર્માણ કરવાના આપણા સામૂહિક સંકલ્પનો પુરાવો છે. નોંધનિય છે કે, મોદી સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. CJI DY ચંદ્રચુડે કહ્યું, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બંધારણીય રીતે માન્ય છે. આ રીતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય એકદમ યોગ્ય હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir