બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ચૂંટણી 2019 / Lok Sabha Election 2019: Congress president Rahul Gandhi targets PM Modi
vtvAdmin
Last Updated: 07:27 PM, 24 April 2019
કાનપુરઃ દિલ્હીની સત્તા સુધી પહોંચવા માટે ચૂંટણી સમરમાં જોર-શોરથી જોડાયેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારનાં રોજ કાનપુરમાં પીએમ મોદીને એક વાર ફરીથી ટાર્ગેટ કર્યા છે. રાફેલ અને ભાગેડું ઉદ્યોગપતિઓને બહાને રાહુલે મોદી પર અનેક ગંભીર આરોપો પણ લગાવ્યાં છે. આ દરમ્યાન એ પણ વાયદો કર્યો છે કે જો કોંગ્રેસની સરકાર આવે છે તો તે ભ્રષ્ટ ઉદ્યોગપતિઓનાં એકાઉન્ટમાંથી પૈસા નીકાળીને ગરીબ, મજૂર અને ખેડૂતોમાં વહેંચી દેશે.
કાનપુરમાં એક ચૂંટણી રેલી દરમ્યાન રાહુલે પીએમ પર બરાબર આકરા પ્રહાર કર્યા છે. કાર્યકર્તાઓમાં જોશ ભરતા રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદી હવે આંખ નથી મિલાવી શકતાં. આવું એટલાં માટે સંભવ થયું કેમ કે કોંગ્રેસનાં કાર્યકર્તા બબ્બર શેર છે. તેઓનાં જોશે આ કામ બખૂબીથી કરી દીધું છે.
આ પહેલાં ઉન્નાવમાં એક ચૂંટણીલક્ષી રેલી દરમ્યાન રાહુલે એક વાર ફરીથી 'ચોકીદાર ચોર છે'નાં નારાને ઉછાળ્યો છે. રાહુલે કહ્યું કે, 'આ ચોકીદાર 5 વર્ષમાં ચોર કેવી રીતે બની ગયાં? આ થયું કેવી રીતે... પહેલાં તો તેઓએ કહ્યું હતું કે 56 ઇંચની છાતી છે. મુજે પીએમ મત બનાઓ... ચોકીદાર બનાઓ. બે કરોડ યુવાઓને રોજગાર આપવાનો વાયદો હતો. 15 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં નાખવાનો વાયદો કર્યો હતો... 5 રૂપિયા પણ ના આવ્યાં. આપ લોકોએ શું ક્યારેય મોદીજીને સવાલ કર્યો.. કે કેમ ના આવ્યાં... હવે આવતી વખતે આવે તો આ સવાલ જરૂરથી કરજો.'
'અમે ખટાખટ...ખટાખટ પૈસા આપીશું'
રાહુલે સવાલિયા લહેકામાં રેલીમાં હાજર લોકોને પૂછ્યું કે, 'જ્યારે કોઇ વાયદો પૂર્ણ નથી થયો તો ચોકીદારે છેલ્લાં 5 વર્ષમાં શું કર્યુ? નરેન્દ્ર મોદીએ 15 લાખનું જુઠ બોલ્યાં પરંતુ હવે છોડો. હું આપને જણાવવા માંગુ છું કે કોંગ્રેસ આપનાં માટે શું કરશે. 72 હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં, જ્યાં સુધી આપની આવક દર મહીને 12 હજારથી વધારે નહીં હોય ત્યાં સુધી ન્યાય યોજના અંતર્ગત ખટાખટ...ખટાખટ આપનાં બેંક એકાઉન્ટમાં પૈસા આવી જશે. પહેલાં 100 દિવસનું મનરેગા અને હવે 150 દિવસનું હશે. મનરેગાનાં પૈસા મળશે પરંતુ જો 12 હજારથી ઓછી આવક છે તો ન્યાય યોજનાનાં પૈસા પણ ખટાખટ...ખટાખટ...ખટાખટ આપનાં બેંક એકાઉન્ટમાં આવી જશે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ