બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / lady died of shooting stone incident 2 jawan injures in jammu kashmir
Malay
Last Updated: 10:21 AM, 16 July 2023
અમરનાથ યાત્રાના માર્ગ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે. ત્યારે અમરનાથ યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતીના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. મૂળ સુરતના અને છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે અમેરિકા રહેતા ઊર્મિલાબેન મોદીનું જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં માથા પર પથ્થર પડતા મૃત્યુ નિપજ્યું છે. જ્યારે બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઊર્મિલાબેનના મૃતદેહને અમરનાથથી સુરત લાવવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક ઊર્મિલાબેનનો મૃતદેહ હવાઈ માર્ગેથી વતન કામરેજમાં લાવવામાં આવશે.
#WATCH | J&K | A lady on Amaranth Yatra died after being struck by naturally occurring shooting stones. Two other members of the Mountain Rescue Team of J&K Police who tried to rescue the lady were also seriously injured. The injured Police personnel were evacuated by army and… pic.twitter.com/OwH6lmCtkj
— ANI (@ANI) July 16, 2023
જમ્મુ-કાશ્મીર પોલીસે આપી માહિતી
આ અંગેની જાણકારી જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાની ઉંમર 53 વર્ષ છે, જ્યારે તેમનું નામ ઊર્મિલાબેન મોદી છે. ગઈકાલે અનંતનાગમાં મહિલાની ઉપર પહાડ પરથી એક મોટો પથ્થર પડ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મોહમ્મદ સાલેમ અને મોહમ્મદ યાસીન નામના બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
10 વર્ષથી પરિવાર સાથે રહે છે અમેરિકામાં
મૃતક ઊર્મિલાબેનના પરિવારજનોએ જણાવ્યું છે કે, ગીરીશભાઇ મોદી અને તેમના પત્ની ઊર્મિલાબેન મોદી છેલ્લા 10 વર્ષથી અમેરિકાના ટેનેસી ખાતે રહે છે. તેઓને સંતાનમાં ચાર દીકરી અને એક એક દિકરો છે. તેમના પુત્ર અને દીકરીઓ પણ અમેરિકામાં જ રહે છે. દોઢ મહિલા પહેલા જ પાંચથી છ મહિના માટે ગીરીશભાઇ મોદી અને તેમના પત્ની ઊર્મિલાબેન મોદી વતન સુરતના કામરેજ ખાતે આવ્યા હતા.
5 જુલાઈએ અમરનાથ યાત્રા માટે થયા હતા રવાના
તેમણે જણાવ્યું કે, આ દરમિયાન તેમણે અમરનાથ યાત્રાએ જવાનું નક્કી કર્યું હતું. ઊર્મિલાબેન એક ટુર ટ્રાવેલ્સ દ્વારા પતિ સાથે ગત 5 જુલાઇના રોજ કામરેજથી અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભૂસ્ખલન થતાં ઊર્મિલાબેનના માથામાં પથ્થર વાગ્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નિપજ્યું છે.
એક સપ્તાહમાં આ ત્રીજા ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યુ
1. ઊર્મિલાબેન ગિરિશભાઇ મોદી (કામરેજ, સુરત)
2. શિલ્પાબેન નરેશભાઈ ડાંખરા (સિદસર, ભાવનગર)
3. રાજેન્દ્રભાઇ ભાટીયા (વેમાલી, વડોદરા)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir