બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Khyati
Last Updated: 02:02 PM, 31 March 2022
ચૂંટણી પહેલા જ ધારાસભ્યોની હેરાફેરીનો દોર શરુ થઇ ગયો છે. કોંગ્રેસ સમાજ આધારિત રાજકીય સમીકરણો ગોઠવીને મજબૂતાઇથી ચૂંટણીમાં ઉતરવાની ફિરાકમાં છે તો બીજી તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં આગમન વચ્ચે ગુજરાતની અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના સંકેત મળી રહ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન એવા કુંવરજી બાવળિયા ભાજપનો છેડો ફાડશે તેવી ચર્ચાઓનો હવે અંત આવ્યો છે. ખુદ કુંવરજી બાવળિયાએ આ અંગે ચોખવટ કરી છે.
કુંવરજી બાવળિયાએ કરી સ્પષ્ટતા
સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડે તેવી વાતો પાયાવિહોણી સાબિત થઇ છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી મંત્રીની સીટ પર બેસનાર કુંવરજી બાવળીયા ફરીથી કોંગ્રેસનો હાથ પકડી શકે છે તે વાત ખોટી સાબિત થઇ છે. કારણ કે આ મામલે મંત્રીએ ટ્વિટ કરતા જણાવ્યુ છે કે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વથી પ્રભાવિત થઇને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને હંમેશા રહેવાનો છું. કોંગ્રેસમા ં જોડાવાની અફવા ફેલાવનારને ઇશ્વર સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના.
નમસ્કાર
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) March 31, 2022
ભારતીય જનતા પાર્ટીના સક્ષમ અને શીર્ષસ્થ નેતૃત્વથી પ્રભાવિત થઈ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું અને હંમેશા માટે રહેવાનો છું.
પાર્ટીએ મને આદરપૂર્વક ખૂબ મહત્વની એવી કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપી જેના માટે હું પાર્ટીનો ખૂબ આભારી છું. pic.twitter.com/F13k7jIeyf
કોંગ્રેસમાં જોડાવાની ઉડી હતી વાતો
મહત્વનું છે કે કુંવરજી બાવળિયા કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે તેવી વાતો સૂત્રો દ્વારા જાણવા મળી હતી. તેઓ ભાજપમાં સાઇડલાઇન કરવામાં આવતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યુ હતું. વળી કોંગ્રેસ પણ જાતિગત સમીકરણોને લઇને તમામ સમાજના મતો મળી રહે તે માટે વિવિધ સમાજના આગેવાનોને કોંગ્રેસમાં લાવવા પ્રયાસો કરી રહ્યુ છે. ત્યારે વાત એમ પણ સામે આવી હતી કે કોંગ્રેસ કુંવરજી બાવળિયાને પોતાના પક્ષમાં લઇને કોળી સમાજના મતો સુરક્ષિત કરવા માગે છે. જો કે હવે આ તમામ અટકળો પર કુંવરજી બાવળિયાએ પાણી ફેરવી દીધુ છે .મહત્વનું છે કે, ગુજરાતમાં 74 લાખ કોળી મતદારો છે.
કોળી જ્ઞાતિનું ક્યાં કેટલું પ્રભુત્વ ?
ગુજરાતમાં પાટીદાર વોટબેન્ક સૌથી પ્રભાવશાળી મનાય છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35-37 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 22થી 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10-12 બેઠક ગણી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir