બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Khevna
Last Updated: 04:38 PM, 19 March 2022
આખા વર્ષમાં 4 વાર નવરાત્રી મનાવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રી અને એક ચૈત્ર અને શારદીય નવરાત્રી. આ વર્ષે નવરાત્રી 2 એપ્રિલથી શરુ થશે, જે 11 એપ્રિલ, સોમવાર સુધી ચાલશે. હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે.
વર્ષમાં કેટલી નવરાત્રી મનાવવામાં આવે છે?
વર્ષમાં 4 નવરાત્રી મનાવાય છે. બે ગુપ્ત નવરાત્રી અને એક ચૈત્ર અને શારદીય નવરાત્રી. ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા બાદ ચૈત્ર મહિનાની શરૂઆત થશે અને ચૈત્ર મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રીની શરૂઆત થાય છે.
નવરાત્રીનાં મૂહુર્ત
પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 1 એપ્રિલ, શુક્રવાર સવારે 11:53 મિનિટથી શરુ થાય છે અને 2 એપ્રિલ, શનિવારે 11:58 પર સમાપ્ત થશે. નવરાત્રીનાં પહેલા જ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાર બાદ 9 દિવસ કળશની પૂજા કરવામાં આવે છે. કળશ સ્થાપનાનો શુભ સમય 2 એપ્રિલ સવારે 6:10 મિનિટથી 8:29 સુધી રહેશે.
માં દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે
ધાર્મિક માન્યતા છે કે દર વર્ષે નવરાત્રીનાં દિવસોમાં માં કોઈને કોઈ વાહન પર સવાર થઈને ધરતી પર આવે છે અને પાછા ફરતા સમયે માંનું વાહન અલગ હોય છે. ચૈત્ર નવરાત્રીમાં માં ઘોડા પર સવાર થઈને આવે છે. તેને શુભ માનવામાં આવે છે. જ્યારે જો નવરાત્રીની શરૂઆત રવિવાર કે સોમવારથી થાય તો માં હાથી પર સવાર થઈને આવે છે.
નવરાત્રી પર માનાં નવ સ્વરૂપોની કરવામાં આવે છે પૂજા
નવરાત્રીનાં નવ દિવસ માંના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કૃષ્ણમાંડા, પાંચમાં દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમાં દિવસે કાલરાત્રી, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir