બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 03:11 PM, 3 October 2023
જો તમારા પાસે પણ રૅશન કાર્ડ છે અને તમે સરકારની તરફથી મળતા મફત રાશન યોજનનો ફાયદો ઉઠાવી રહ્યા છો તો આ ખબર તમારા કામની છે. તમને રૅશન કાર્ડ સાથે જોડાયેલા નિયમો વિશે જરૂર ખબર હશે. કેન્દ્ર સરકારની તરફથી કોરોના કાળથી કરોડો રૅશન કાર્ડ ધારકોને ફ્રી રાશનની સુવિધા આપવામાં આવી રહી છે.
થોડા દિવસો પહેલા સરકારની તરફથી ફ્રી રાશન યોજનાને ડિસેમ્બર 2023 સુધી વધારવામાં આવી હતી. સરકારની તરફથી થોડા દિવસો પહેલા કાર્ડ ધારકો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
સરકારની તરફથી થઈ શકે છે કાર્યવાહી
સરકારને જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં અપાત્ર લોકો ફ્રી મળતા ચોખા અને ઘઉંનો ફાયદો ઉઠાવી રહ્યા છે. એવામાં અપાત્ર લોકો પોતાનું રૅશન કાર્ડ સરેન્ડર કરી શકે છે. અપાત્ર લોકોને મફત રૅશનનો ફાયદો લેવા પર સરકારની તરફથી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
તેના માટે સરકારની તરફથી સમય સમય પર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે પોતાનું રૅશન કાર્ડ સરેન્ડર કરી દે અથવા તો રદ્દ કરાવી દે. આવો જાણીએ નિયમ અનુસાર એવા કયા લોકો છે જે યોજના હેઠળ અપાત્ર છે અને તેમને પોતાનું રૅશન કાર્ડ સરેન્ડર કરાવી દેવું જોઈએ.
શું છે નિયમ
જો તમે રૅશન કાર્ડ સરેન્ડર નથી કરાવ્યું તો તપાસ બાદ ખાદ્ય વિભાગની ટીમ તમારૂ રૅશન કાર્ડ રદ્દ કરી શકે છે. આટલું જ નહીં આવા લોકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે. ખાદ્ય વિભાગ અનુસાર જો કોઈ કાર્ડ ધારકની પાસે પોતાની આવકથી લેવામાં આવેલા 100 વર્ગ મીટરનો પ્લોટ/ ફ્લેટ કે મકાન છે તો તે મફત રાશન યોજના માટે અપાત્ર છે.
તેના ઉપરાંત જો કોઈની પાસે વાહન, કાર, ટ્રેક્ટર, શસ્ત્ર લાઇસન્સ, ગામમાં બે લાખ અને શહેરમાં ત્રણ લાખ વર્ષે આવક છે તો આવા લોકોએ રૅશન કાર્ડ તલાટી કે ડીએસઓ ઓફિસમાં સરેન્ડર કરવાનું રહેશે.
જો રૅશન કાર્ડ ધારક કાર્ડ સરેન્ડર નથી કરતું તો આવા લોકોનું તપાસ બાદ કાર્ડ રદ્દ કરી દેવામાં આવશે. હકીકતે ગ્રામીણ ક્ષેત્રો ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ આવા લોકોએ પણ APL અને BPL રૅશન કાર્ડ બનાવી રાખ્યા છે અને તપાસમાં એ વાત સામે આવી છે કે પાત્ર પરિવારોને હજુ સુધી રૅશન કાર્ડ નથી બન્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir