બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / સ્પોર્ટસ / Cricket / KL Rahul will not do wicketkeeping in IND vs ENG Test series, this player who has been in 'controversy' will be
Megha
Last Updated: 08:50 AM, 11 January 2024
ટીમ ઈન્ડિયા 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે, જેના માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પ્રવાસ સામે રમાયેલ ટેસ્ટ સીરિઝ 1-1થી ડ્રો સાથે સમાપ્ત કરવામાં સફળ રહી હતી. આ સીરિઝમાં કેએલ રાહુલે બંને મેચમાં ભારતીય ટીમ માટે વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી અને તેનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું. જો કે હવે ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં વિકેટકીપર તરીકે જોવા નહીં મળે એવા અહેવાલ સામે આવ્યા છે.
KL Rahul set to focus only on batting in the Test series against England. [Cricbuzz]
— Johns. (@CricCrazyJohns) January 10, 2024
- Ishan Kishan is likely to return into the Test team. pic.twitter.com/OiqBlIMq19
આ સીરિઝમાં રાહુલ એક બેટ્સમેનની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે. જેની પાછળ ઈશાન કિશનની ટેસ્ટ ટીમમાં વાપસી એક મહત્ત્વનું કારણ હોવાનું કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર વિકેટકીપર તરીકે ઇશાન કિશનને મોકો મળી શકે છે. નોંધનીય છે કે હાલમાં જ ટી20 સિરીઝમાંથી બહાર થવાના કારણે વિવાદોમાં ઘેરાયેલો ઈશાન 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થનારી ટેસ્ટ સીરિઝ માટે તેની ઉપલબ્ધતાનો સંકેત આપી શકે છે.
Ishan Kishan in consideration to be India's wicketkeeper for the Test series against England.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2024
- KL Rahul set to play as a specialist batter. (Cricbuzz). pic.twitter.com/IhbHkf2zAX
રાહુલ દ્રવિડની આગેવાની હેઠળની ટીમ મેનેજમેન્ટ લાંબા વિરામ બાદ આંતરરાષ્ટ્રીય મેચોમાં પરત ફરતા પહેલા ખેલાડીઓને સ્થાનિક મેચો રમવાની તક આપી રહી છે. ઈશાન 19 જાન્યુઆરીથી દિલ્હીમાં ઝારખંડ અને સર્વિસીઝ વચ્ચે રમાનારી મેચમાં પોતાનું ફોર્મ સાબિત કરી શકે છે. નોંધનીય છે કે ઈશાન ભારત માટે છેલ્લે 28 નવેમ્બરે રમ્યો હતો.
જો કે અફવાઓ વચ્ચે રાહુલ દ્રવિડે અનુશાસનહીનતાને કારણે ઇશાનને બહાર રાખવાને ખોટું ગણાવ્યું છે. તેણે કહ્યું કે ઈશાને પોતે રજા લઈ લીધી છે અને તેણે હજુ પસંદગી માટે તેની ઉપલબ્ધતા દર્શાવી નથી. ટેસ્ટ ટીમમાં અલગ વિકેટકીપર રાખવાની વ્યૂહરચના અનુસાર, KS ભરતને વિકેટકીપિંગની ભૂમિકા માટે તૈયાર કરવા માટે અમદાવાદમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામેની A-સિરીઝમાં તાલીમ આપવામાં આવી રહી છે. જોકે, આ રોલ માટે ઈશાન કિશન પણ સંભવિત વિકલ્પ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir