બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / સ્પોર્ટસ / Cricket / KL Rahul will be given the responsibility as the vice captain of Team India
Kishor
Last Updated: 11:16 PM, 21 October 2023
વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ક્રિકેટ રસીકો માટે આ શ્રેણી એટલે મોટા તહેવાર સમાન છે. જેનો લોકો આનંદ ઉઠાવી રહ્યા છે. તો ભારતીય ટીમની પણ વર્લ્ડ કપમાં સારી શરૂઆત ચાલી રહી છે. ત્યારે આ શ્રેણીમાં ભારતીય ટીમ વર્લ્ડ કપની તેની પાંચમી મેચ ન્યૂઝીલેન્ડ સામે ધરમશાળા સ્ટેડિયમમાં રમશે. 22 ઓક્ટોબરે ધર્મશાલાના સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જંગ ખેલાશે. મહત્વનું છે કે છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યાને ઇજાને કારણે હાલ તે આરામ પર છે અને પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની રહ્યો નથી. જેના કારણે હવે સૂર્યકુમાર યાદવને ટીમમાં થાય તેવા સંકેતો મળી રહ્યા છે. હવે વાઇઝ કેપ્ટન કોણ એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.
કોણ બનશે ટીમનો વાઇસ કેપ્ટન?
રવિવારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલના શિરે સોંપવામાં આવી શકે છે. મહત્વનું છે કે રાહુલે રોહિત શર્મા અને હાર્દિકની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશીપ સંભાળી હોવાથી આ તેના પલ્સ પોઇન્ટ છે.
ભારત હજુ હાર્યું નથી
આરામ અને વધુ સારવારના ભાગરૂપે BCCIની મેડિકલ ટીમ હાર્દિક પંડ્યાનીં દેખરેખ કરી રહી છે. હવે હાર્દિક ધર્મશાલા મેચમાં હિસ્સો નહીં બને જે સીધો લખનૌ જશે જ્યાં ટીમને ઈંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. ભારતીય ટીમ 29 ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપ મેચ રમશે. મહત્વનું છે કે રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ આ વખતે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને ધૂળ ચટાવી છે બાકી એક પણ વખત ટીમ હારી નથી.
હાર્દિક પંડ્યાનું ટીમમા કદ મહત્વનું હોવાથી તેમની ગેરહાજરી મોટા ફટકા સમાન ગણવામાં આવી રહી છે.દ્રવિડે પણ પંડ્યાના ન રમવાને મોટો ફટકો ગણાવ્યો છે. જેથી ટીમનું બેલેન્સ જાળવવા માટે પ્લેઇંગ-11માં બે ફેરફારની નોબત આવી શકે છે. કોચ રાહુલ દ્રવિડના કહેવા પ્રમાણે સૂર્યકુમાર યાદવ સ્પિન બોલિંગ વધુ સારી રીતે રમે છે. નીચલા ક્રમમાં ઝડપથી રન બનાવવા માટે આ સારો વિકલ્પ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir