બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Kisan Andolan Farmers did not listen to the government, announced Delhi March

મોટા સમાચાર / સરકાર અને ખેડૂતોની મીટિંગ ફેલ: ફરી ઉગ્ર થશે આંદોલન, દિલ્હી કૂચનું પણ એલાન

Megha

Last Updated: 08:20 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોના આંદોલન વચ્ચે સરકારે રવિવારે ચોથા રાઉન્ડની વાતચીતમાં ખેડૂતોને કેટલાક પાક પર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

Farmers Protest: સોમવારે 'દિલ્હી ચલો' આંદોલનમાં ભાગ લેનારા ખેડૂત નેતાઓએ સરકારી એજન્સીઓ દ્વારા કઠોળ, મકાઈ અને કપાસની લઘુત્તમ ટેકાના ભાવે (એમએસપી) પાંચ વર્ષ માટે ખરીદી કરવાના કેન્દ્રના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે તે ખેડૂતોના હિતમાં નથી. આ સાથે જ બુધવારે રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી.

ખેડૂત આંદોલન દરમિયાન 8 લોકોએ જીવ ગુમાવ્યા, આ માટે કોણ જવાબદાર? | farmers  death during protest against farm bills who is responsible

ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો
ખેડૂતોના આંદોલન વચ્ચે સરકારે રવિવારે ચોથા રાઉન્ડની વાતચીતમાં ખેડૂતોને કેટલાક પાક પર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂત સંગઠનોએ સોમવારે મોડી સાંજે શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્રના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને તેમની ભાવિ વ્યૂહરચના જણાવી હતી. 

ખેડૂતો 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે
ખેડૂતોએ કહ્યું કે અમે ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી અને સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરી. સરકારે કરેલી દરખાસ્તમાં કોઈ તથ્ય નથી. આ પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં. આ સાથે ખેડૂતોએ સરકારને મંગળવાર એટલે કે આજ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ખેડૂતોએ કહ્યું છે કે તેઓ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે.

After discussions with the government the farmers will stop the Delhi Chalo protest for two days

બોર્ડર પર ખેડૂતો સાથેનું વર્તન નિંદનીય છે 
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને પંજાબની ભગવંત માન સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, બોર્ડર પર ખેડૂતો સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે નિંદનીય છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને બેઠકોમાં આમંત્રિત કરવાનું મુખ્ય કારણ સરહદ પર બેરિકેડિંગનો મુદ્દો ઉઠાવવાનું હતું અને પંજાબના લોકો પડોશી રાજ્ય તરફથી ટીયર ગેસના શેલિંગનો સામનો કરી રહ્યા છે. તેણે પરિસ્થિતિને જોવાનું વચન આપ્યું હતું, પરંતુ એવું કર્યું નહીં. તેમણે આ મુદ્દો મંત્રીઓ સમક્ષ મૂકવો જોઈતો હતો.

વધુ વાંચો: મોદી સરકારે અડધી રાતે ખેડૂતોને કઈ ગેરંટી આપી કે દિલ્હી ચલો આંદોલન થયું 'હોલ્ડ'?

સરકારે હવે નિર્ણય લેવો જોઈએ.
સાથે જ કિસાન મજદૂર મોરચાના નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું હતું કે, 'અમે સરકારને અપીલ કરીએ છીએ કે કાં તો અમારા મુદ્દાઓ ઉકેલે લાવે અથવા નાકાબંધી હટાવે અને અમને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા દિલ્હી જવાની મંજૂરી આપે. અમે 21 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે શાંતિપૂર્ણ રીતે દિલ્હી તરફ કૂચ કરીશું, સરકારે હવે નિર્ણય લેવો જોઈએ.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Protest News Kisan Andolan farmer Protest farmers protest ખેડૂત આંદોલન દિલ્હી ચલો આંદોલન farmers protest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ