બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 01:24 PM, 13 July 2023
Kamika ekadashi 2023: કામિકા એકાદશી વ્રતને વિધિ-વિધાનથી કરવા પર ભગવાન વિષ્ણુ દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે આ એકાદશી વ્રતમાં, જાણતા-અજાણતા, આ વ્રત તૂટી જાય છે અને વ્યક્તિએ પાપનો ભાગીદાર બનવું પડે છે. આવો જાણીએ કે આજે કામિકા એકાદશી વ્રત સાથે જોડાયેલી કઈ એવી ભૂલો છે ટાળવી જોઈએ અને જો આજે આ વ્રત ભૂલથી તૂટી જાય તો ભગવાન વિષ્ણુના ભક્તે અજાણતા આ મહાપાપમાંથી મુક્તિ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ.
આ 5 ભૂલોના કારણથી તૂટી જાય તો એકદાશીનું વ્રત
1. એકાદશીના દિવસે તામસિક વસ્તુઓનું સેવન કરવાથી ભગવાન વિષ્ણુનું આ વ્રત તૂટી જાય છે.
2. શ્રી હરિની કૃપા વરસાવતા આ વ્રતમાં ચોખાનું સેવન કરવાની મનાઇ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જો કોઈ વિષ્ણુ ભક્ત ભૂલથી પણ ચોખા ખાય તો તેને મહાપાપ લાગે છે. આવી સ્થિતિમાં આ દિવસે ચોખા અથવા તેનાથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી વ્રત તૂટી જાય છે.
3. કામિકા એકાદશીના દિવસે વિષ્ણુપ્રિયા નામના તુલસીના છોડને કાપવુ મૂળથી ઉખાડવુ કે તેના પાન તોડવાથી આ વ્રતનું પુણ્ય મળવાને બદલે પાપના ભાગીદાર બનવે છે.
4. કામિકા એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું વ્રત કરનાર વ્યક્તિએ ભૂલથી પણ મુંડન, વાળ કાપવા અને નખ કાપવા વગેરે ન કરવા જોઈએ. હિંદુ માન્યતા અનુસાર આ દિવસે વાળ કાપવાને મોટો દોષ માનવામાં આવે છે અને જો કોઈ ભક્ત આ નિયમની અવગણના કરે છે તો તેના પર કામિકા એકાદશી વ્રત તોડવાનો દોષ માનવામાં આવે છે.
5. હિંદુ માન્યતા અનુસાર, ભગવાન શ્રી વિષ્ણુનું આ વ્રત કરનાર સાધકે આ દિવસે માંસ-દારૂ અને સંભોગથી દૂર રહીને બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.
કામિકા એકાદશીનું વ્રત તૂટવા પર કરો આ ઉપાય
1. જો આજે કામિકા એકાદશીનું વ્રત ભૂલથી તૂટી ગયું હોય તો સૌ પ્રથમ સ્નાન કરો અને ત્યાર બાદ ભગવાન શ્રી વિષ્ણુના ચરણ સ્પર્શ કરો અને જાણ્યે-અજાણ્યે થયેલી આ ભૂલ માટે માફી માગો.
2. કામિકા એકાદશી વ્રત તોડવાથી થતા દોષને દૂર કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુના ‘ॐ नमो भगवते वासुदेवाय नमः’ મંત્રનો જાપ ઓછામાં ઓછા 11 વાર તુલસીની માળા કરો.
3. ભગવાન શ્રી વિષ્ણુના મંત્રનો જાપ કર્યા પછી, વ્યક્તિએ તેના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી હરિના નામનો હવન અને આરતી કરવી જોઈએ. હિંદુ માન્યતા અનુસાર પૂજામાં કરવામાં આવતી આરતીથી તમામ દુ:ખ અને દોષ દૂર થાય છે.
4. જાણ્યે-અજાણ્યે, જેના કારણે કામિકા એકાદશીનું તમારું વ્રત તૂટી ગયું હતું, તે દિવસે ફરીથી ન કરવું.
5. કામિકા એકાદશીના દિવસે જો તમે ભુલથી તમારું વ્રત તોડી નાખો તો તેનાથી થતા દોષને દૂર કરવા માટે પીળા કપડા, પીળા ફળ, પીળી મીઠાઈ, ધાર્મિક પુસ્તકો, ચણાની દાળ, હળદર, કેસર વગેરે વસ્તુઓ મંદિરના પૂજારીને યથાશક્તિ મુજબ દાન કરો.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir