બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Kamika ekadashi 2023 what to do if ekadashi vrat is broken by mistake

માન્યતા / આજે કામિકા એકાદશી: ભૂલથી પણ જો વ્રત તૂટી જાય તો શું કરવું? જાણે પાપમાંથી ઉગરવાનો મહાઉપાય

Bijal Vyas

Last Updated: 01:24 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી હરિના આશીર્વાદ વરસાવે તેવી એકાદશીને લગતી કઈ ભૂલો છે, જે કરવાથી પુણ્યને બદલે પાપ લાગે છે? જાણો આ વ્રત ક્યારે ભૂલથી તૂટી જાય છે, તો લાગતા દોષને કેવી રીતે દૂર કરશો?

  • આ 5 ભૂલોના કારણથી તૂટી જાય તો એકદાશીનું વ્રત
  • હિંદુ માન્યતા અનુસાર આ દિવસે વાળ કાપવાને મોટો દોષ માનવામાં આવે છે
  • કામિકા એકાદશીનું વ્રત તૂટવા પર કરો આ ઉપાય 

Kamika ekadashi 2023: કામિકા એકાદશી વ્રતને વિધિ-વિધાનથી કરવા પર ભગવાન વિષ્ણુ દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે આ એકાદશી વ્રતમાં, જાણતા-અજાણતા, આ વ્રત તૂટી જાય છે અને વ્યક્તિએ પાપનો ભાગીદાર બનવું પડે છે. આવો જાણીએ કે આજે કામિકા એકાદશી વ્રત સાથે જોડાયેલી કઈ એવી ભૂલો છે ટાળવી જોઈએ અને જો આજે આ વ્રત ભૂલથી તૂટી જાય તો ભગવાન વિષ્ણુના ભક્તે અજાણતા આ મહાપાપમાંથી મુક્તિ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ.

આ 5 ભૂલોના કારણથી તૂટી જાય તો એકદાશીનું વ્રત
1. એકાદશીના દિવસે તામસિક વસ્તુઓનું સેવન કરવાથી ભગવાન વિષ્ણુનું આ વ્રત તૂટી જાય છે.

2. શ્રી હરિની કૃપા વરસાવતા આ વ્રતમાં ચોખાનું સેવન કરવાની મનાઇ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જો કોઈ વિષ્ણુ ભક્ત ભૂલથી પણ ચોખા ખાય તો તેને મહાપાપ લાગે છે. આવી સ્થિતિમાં આ દિવસે ચોખા અથવા તેનાથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી વ્રત તૂટી જાય છે.

Tag | VTV Gujarati

3. કામિકા એકાદશીના દિવસે વિષ્ણુપ્રિયા નામના તુલસીના છોડને કાપવુ મૂળથી ઉખાડવુ કે તેના પાન તોડવાથી આ વ્રતનું પુણ્ય મળવાને બદલે પાપના ભાગીદાર બનવે છે.

4. કામિકા એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું વ્રત કરનાર વ્યક્તિએ ભૂલથી પણ મુંડન, વાળ કાપવા અને નખ કાપવા વગેરે ન કરવા જોઈએ. હિંદુ માન્યતા અનુસાર આ દિવસે વાળ કાપવાને મોટો દોષ માનવામાં આવે છે અને જો કોઈ ભક્ત આ નિયમની અવગણના કરે છે તો તેના પર કામિકા એકાદશી વ્રત તોડવાનો દોષ માનવામાં આવે છે.

5. હિંદુ માન્યતા અનુસાર, ભગવાન શ્રી વિષ્ણુનું આ વ્રત કરનાર સાધકે આ દિવસે માંસ-દારૂ અને સંભોગથી દૂર રહીને બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.

કામિકા એકાદશીનું વ્રત તૂટવા પર કરો આ ઉપાય 
1. જો આજે કામિકા એકાદશીનું વ્રત ભૂલથી તૂટી ગયું હોય તો સૌ પ્રથમ સ્નાન કરો અને ત્યાર બાદ ભગવાન શ્રી વિષ્ણુના ચરણ સ્પર્શ કરો અને જાણ્યે-અજાણ્યે થયેલી આ ભૂલ માટે માફી માગો.

2. કામિકા એકાદશી વ્રત તોડવાથી થતા દોષને દૂર કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુના ‘ॐ नमो भगवते वासुदेवाय नमः’ મંત્રનો જાપ ઓછામાં ઓછા 11 વાર તુલસીની માળા કરો.

Tag | VTV Gujarati

3. ભગવાન શ્રી વિષ્ણુના મંત્રનો જાપ કર્યા પછી, વ્યક્તિએ તેના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી હરિના નામનો હવન અને આરતી કરવી જોઈએ. હિંદુ માન્યતા અનુસાર પૂજામાં કરવામાં આવતી આરતીથી તમામ દુ:ખ અને દોષ દૂર થાય છે.

4. જાણ્યે-અજાણ્યે, જેના કારણે કામિકા એકાદશીનું તમારું વ્રત તૂટી ગયું હતું, તે દિવસે ફરીથી ન કરવું.

5. કામિકા એકાદશીના દિવસે જો તમે ભુલથી તમારું વ્રત તોડી નાખો તો તેનાથી થતા દોષને દૂર કરવા માટે પીળા કપડા, પીળા ફળ, પીળી મીઠાઈ, ધાર્મિક પુસ્તકો, ચણાની દાળ, હળદર, કેસર વગેરે વસ્તુઓ મંદિરના પૂજારીને યથાશક્તિ મુજબ દાન કરો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ