બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Javed Akhtar was caught in the case of Kangana Ranaut! See what the Mumbai court ordered, know the entire controversy

વિવાદ / કંગના રનૌતે કરેલા કેસમાં બરાબરના ફસાયા જાવેદ અખ્તર! મુંબઈની કોર્ટે જુઓ શું આદેશ આપ્યો, જાણો સમગ્ર વિવાદ

Megha

Last Updated: 01:54 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌત દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કોર્ટે જાવેદ અખ્તર વિરુદ્ધ સમન્સ જારી કર્યું છે.  નોંધનીય છે કે કંગનાએ જાવેદ અખ્તર વિરુદ્ધ કથિત 'ખંડણી અને અપરાધિક ધમકી'ની ફરિયાદ નોંધાવી હતી.

  • કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો
  • એ મામલે જાવેદ અખ્તર ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા 
  • કોર્ટે જાવેદ અખ્તર વિરુદ્ધ સમન્સ જારી કર્યું

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ એટલો વધી ગયો કે કોર્ટ સુધી પંહોચી ગયો છે. ઘણા સમયથી બંને સ્ટાર્સ પોતપોતાના મુદ્દાઓ માટે કોર્ટમાં હાજર રહે છે. તાજેતરમાં જ કોર્ટે જાવેદ અખ્તર સામે ખંડણીનો કેસ ફગાવી દીધો હતો. જે બાદ માનવામાં આવી રહ્યું હતું કે હવે આ મામલો શાંત થશે. પરંતુ આ દરમિયાન એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. જે બાદ જાવેદ અખ્તર ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. તો ચાલો જાણીએ શું છે આખો મામલો.. 

જાવેદ અખ્તર મુશ્કેલીમાં ફસાયા 
કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જેમાં અગાઉ કંગના રનૌતે આરોપ લગાવ્યો હતો કે જાવેદ અખ્તરે તેને પોતાના ઘરે બોલાવી હતી અને તેના પર આ મુદ્દે સમાધાન કરવા દબાણ કર્યું હતું. આ નિવેદન સામે આવ્યા બાદ જાવેદ અખ્તરે અભિનેત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતોત્યારથી બંને વચ્ચેનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ આ બંને વચ્ચેના વિવાદ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. 

જાવેદ અખ્તર વિરુદ્ધ સમન્સ જારી કર્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંગના રનૌત દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કોર્ટે જાવેદ અખ્તર વિરુદ્ધ સમન્સ જારી કર્યું છે. કોર્ટે કહ્યું કે 'ગુનાહિત ધમકીના અપરાધ માટે તેની સામે કાર્યવાહી કરવા માટે પૂરતો આધાર છે'. પરંતુ કોર્ટે વસૂલીના કેસ ફગાવી દીધો છે. 

જાવેદ અખ્તર કોર્ટમાં હાજર થશે
કોર્ટમાં આ સમન્સ આવ્યા બાદ તેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ સમન્સ જારી કરીને કોર્ટે જાવેદ અખ્તરને 5 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે આ સમન મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું હતું કે તેમની વિરુદ્ધ ખંડણીના આરોપ હેઠળ કોઈ કેસ કરવામાં આવ્યો નથી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (અંધેરી કોર્ટ) 5 ઓગસ્ટે જાવેદ અખ્તરને કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું. જણાવી દઈએ કે કંગના રનૌતે જાવેદ અખ્તર વિરુદ્ધ કથિત 'ખંડણી અને અપરાધિક ધમકી'ની ફરિયાદ નોંધાવી હતી.

કંગનાને ઘરે બોલાવવાની ધમકી
કંગના રનૌતે જાવેદ અખ્તર સામેની તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે કો-સ્ટાર (રિતિક રોશન) સાથે જાહેરમાં ઝઘડો કર્યા બાદ ગીતકારે તેને અને તેની બહેન રંગોલી ચંદેલને ખરાબ અને ગુપ્ત ઈરાદાથી પોતાના ઘરે બોલાવ્યા અને પછી તેને ગુનાહિત ધમકીઓ આપી હતી. આ વિવાદ નવો નથી પરંતુ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આ કેસમાં આગળ શું થશે તે તો 5મી ઓગસ્ટે ખબર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ