બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Jar, land and joru three kajiana choru: 70-year-old farm leads to two lives, what is the negligence of the police in this case?
Vishal Khamar
Last Updated: 08:29 PM, 13 July 2023
જર, જમીન અને જોરુ ત્રણ કજિયાના છોરુ એવી કહેવત તો આપણે વર્ષોથી સાંભળીએ છીએ પરંતુ આ વખતે જમીનનો મામલો કોઈના જીવ લેવા સુધી પહોંચી ગયો. સુરેન્દ્રનગરના સમઢિયાળામાં 70 વર્ષ જુનું ખેતર બે લોકોના જીવ લેવાનું કારણ બન્યું. મામલો વધારે ગરમી એટલે પકડી ચુક્યો છે કારણ કે જેના ઉપર હુમલો થયો છે તે પરિવાર દલિત છે અને તેના પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા છે. ભોગ બનનાર પરિવાર દાવો કરી રહ્યો છે કે જમીન વડીલોપાર્જિત છે અને લેન્ડ રેકર્ડમાં પણ તેમનું જ નામ બોલે છે. જો દલિત પરિવાર કેસ જીતી ગયો હોય તો પછી તેને ધાકધમકી કેમ મળે, અને જો તેને ધાકધમકી મળે તો તેને રોકનારુ કેમ કોઈ નથી. ખુદ જિલ્લા પોલીસવડાએ પણ સ્વીકાર્યુ કે પોલીસની આ કેસમાં બેદરકારી છે જેમાં અગાઉ મળેલી અરજીઓ ઉપર પુરતુ ધ્યાન અપાયું નથી. કોઈ માથાભારે તત્વો આ ખેતર પોતાનું છે એવો દાવો કરતા આવે અને અચાનક 15 થી 20 લોકોનું ટોળુ તલવાર, ધારિયા સાથે એક પરિવાર ઉપર તૂટી પડે, આવી શરમજનક સ્થિતિ માટે શું શબ્દો વાપરવા તે કલ્પનાનો વિષય છે પરંતુ ચર્ચાના મુખ્ય વિષય તરીકે એ સવાલનો જવાબ મેળવવા પ્રયાસ કરીશું કે દલિત પરિવારના બે સભ્યએ જમીન માટે જીવ ગુમાવવો પડે એવું બન્યું જ કેમ
હત્યાકાંડમાં 5 આરોપી પકડાયા છે
સુરેન્દ્રનગરના સમઢીયાળામાં જમીનના મુદ્દે બે લોકોની હત્યા કરવામાં આવી છે. દલિત પરિવારના સભ્યો પર અન્ય જૂથ તૂટી પડ્યું હતું. ગંભીર રીતે ઘાયલ બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ. લાંબા સમયથી બે જૂથ વચ્ચે જમીન વિવાદ હતો. દલિત પરિવારનો દાવો હતો કે જમીન અમારી છે. સામેનું જૂથ જમીનના દાવાને નકારતું હતું. સમગ્ર ઘટનાને લઈને SITની રચના કરવામાં આવી. સમગ્ર ઘટનામાં પોલીસની પણ બેદરકારી છતી થઈ. હત્યાકાંડમાં 5 આરોપી પકડાયા છે. આ કેસમાં PSIને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
આરોપીઓએ પરિવારને ઢોર માર માર્યો, ગાડીમાં પણ તોડફોડ કરી
સમઢીયાળામાં જમીન વિવાદમાં 2ના મૃત્યુ થયા છે. જમીન ખેડવા મુદ્દે બે જૂથ સામસામે આવ્યા હતા. દલિત પરિવાર ઉપર તલવાર, ધારિયાથી હુમલો થયો. દલિત પરિવારનો દાવો છે કે તેમની જમીન વડીલોપાર્જિત છે. જ્યારે સામેના જૂથ ઉપર જમીન ગેરકાયદે પચાવી પાડવાનો આરોપ. આ મુદ્દે અવારનવાર ઝઘડા પણ થતા હતા. દલિત સમાજનો દાવો છે કે દીવાની દાવામાં આ કેસ તેમની તરફેણમાં હતો. જયારે પરિવાર જમીન ખેડી રહ્યો હતો ત્યારે અચાનક તેમના પર હુમલો થયો. આરોપીઓએ પરિવારને ઢોર માર માર્યો, ગાડીમાં પણ તોડફોડ કરી. દલિત પરિવાર પાસે રહેલા બે લાખ રૂપિયા પણ લૂંટી લેવાયાનો આરોપ છે.
ચુકાદો દલિત પરિવારની તરફેણમાં હોવા છતા સામે પક્ષે ધાકધમકી આપ્યાનો આરોપ
સમઢીયાળામાં આલજીભાઈ અને મનોજભાઈનું વડીલોપાર્જિત 70 વર્ષ જૂનું ખેતર હતું. ખેતરના રેકર્ડમાં પણ પોતાનું નામ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રેવન્યુ રાહે કાર્યવાહી ચાલતી હતી જેમા દલિત પરિવારની તરફેણમાં ચુકાદો આવ્યો. ચુકાદો દલિત પરિવારની તરફેણમાં હોવા છતા સામે પક્ષે ધાકધમકી આપ્યાનો આરોપ. આ બાબતે પોલીસને અરજી પણ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડાએ પણ સ્વીકાર્યું કે પોલીસ તરફથી નિષ્કાળજી રાખવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir