બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Is the number of Lok Sabha and Rajya Sabha MPs to increase There will be more seats in the new parliament
Megha
Last Updated: 04:53 PM, 26 May 2023
દિલ્હીના મધ્યમાં બનેલી સંસદ દેશની સૌથી મોટી લોકતાંત્રિક સંસ્થા છે. આ ઈમારત લગભગ 96 વર્ષ પહેલા એટલે કે 1927માં બની હતી અને પછી અંગ્રેજોએ તેને 'કાઉન્સિલ હાઉસ' તરીકે બનાવ્યું હતું. આઝાદી પછી સરકારે તેને સંસદ હાઉસ બનાવી દીધું અને છેલ્લા 72 વર્ષથી આ ઈમારતમાંથી દેશ ચલાવવામાં આવતી હતી પણ હવે 28 મેથી સંસદની નવી ઈમારતમાંથી દેશ ચલાવવામાં આવશે. સંસદની આ નવી ઇમારત જૂના સંસદ ભવન કરતાં ઘણી અલગ અને સારી છે. સૌથી મોટી વાત એ છે કે આ બિલ્ડિંગમાં સાંસદોને બેસવા માટે ખુરશીઓની સંખ્યા પહેલા કરતા વધુ છે.
આવી સ્થિતિમાં ચર્ચા શરૂ થઈ છે કે શું લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સંખ્યા વધવાની છે? ચાલો જાણીએ નવી સંસદમાં સીટોની સંખ્યા વધારવાના નિયમો શું છે? આ પરિવર્તન માટે બંધારણમાં શું કહેવામાં આવ્યું છે. સાથે જ નવી સંસદમાં ઉપલા ગૃહ અને નીચલા ગૃહમાં બેસવા માટે કેટલી બેઠકો વધારવામાં આવી છે.
લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા
શરૂઆતથી શરૂઆત કરી તો 1951માં જ્યારે દેશમાં પહેલીવાર સંસદીય ચૂંટણી યોજાઈ ત્યારે લોકસભામાં 489 બેઠકો હતી પણ વધતી વસ્તી અને કામના બોજને કારણે સભ્યોની સંખ્યા વધીને 543 થઈ ગઈ છે. તેની સામે રાજ્યસભામાં 245 બેઠકો છે. હવે જો આપણે નવા સંસદ ભવન વિશે વાત કરીએ તો લોકસભાના 888 સભ્યો અને રાજ્યસભાના 384 સભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંયુક્ત સત્ર માટે 1272 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
વસ્તી ગણતરીના આધારે સંખ્યામાં કરશે વધારો
હવે એક વાત અંહિયા એ પણ નોંધનીય છે કે સાંસદોની સંખ્યા વધારવાની ચર્ચા અચાનક શરૂ થઈ નથી. તેની પાછળનું કારણ 2001માં અટલ બિહારી વાજપેયીની સરકારનો નિર્ણય છે. 1971ની વસ્તી ગણતરીના આધારે લોકસભામાં અલગ-અલગ રાજ્યોને ફાળવવામાં આવેલી કુલ બેઠકોની સંખ્યા 2026 પછી સીમાંકન કરવામાં આવશે ત્યાં સુધી યથાવત રહેશે. નવી વસ્તી ગણતરીના પરિણામો 2021માં આવવાના હતા પણ સરકારે હજુ સુધી વસ્તી ગણતરી શરૂ કરી નથી. આવી સ્થિતિમાં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર 2031 અથવા તેના પછી સીમાંકન કરી શકે છે.
Special pujas, elaborate ceremony on May 28 for new Parliament building inauguration
— ANI Digital (@ani_digital) May 25, 2023
Read @ANI Story | https://t.co/URF5E1V7gK#ParliamentBuilding #ParliamentNewBuilding pic.twitter.com/yXwrEyGeFS
પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું- 1000 સીટો હોવી જોઈએ
1973માં જ્યારે લોકસભાનું સીમાંકન થયું ત્યારે દેશની વસ્તી 54.80 કરોડ હતી, એટલે કે ત્યારે લગભગ 10 લાખ લોકો માટે એક સાંસદ જવાબદાર હતો. હવે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. વસ્તી વધીને લગભગ 143 કરોડ થઈ ગઈ છે, એટલે કે 50 વર્ષમાં વસ્તી અઢી ગણી વધી ગઈ છે. આવી સ્થિતિમાં હવે એક સાંસદે લગભગ 25 લાખની વસ્તીને સંભાળવી પડે છે. તેથી દેશને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે સાંસદોની સંખ્યા વધારવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 2019માં લોકસભામાં 1000 સીટોની માંગણી કરી હતી.
શું બંધારણીય સુધારાની જરૂર પડશે?
આપણા બંધારણમાં અનુચ્છેદ-81 છે જેમાં લખવામાં આવ્યું છે કે ગૃહમાં 550 થી વધુ ચૂંટાયેલા સભ્યો ન હોવા જોઈએ. જેમાંથી 530 થી વધુ રાજ્યોના પ્રાદેશિક મતવિસ્તારમાંથી અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે 20 થી વધુ નહીં. આ સિવાય કલમ-331 મુજબ રાષ્ટ્રપતિ બે સભ્યોને નોમિનેટ કરી શકે છે. આમ લોકસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 552 નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું સાંસદોની સંખ્યા વધારવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir