બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / બિઝનેસ / Politics / વિશ્વ / International flights are banned due to Corona, yet Indians can travel to so many countries
Nirav
Last Updated: 05:33 PM, 1 October 2020
ઓમાન જો કે ભારત સાથે આ કરાર કરનારો 16 મો દેશ બન્યો. ભારતે આ પહેલા જો કે અફઘાનિસ્તાન, બહેરિન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇરાક, જાપાન, માલદીવ, નાઇજીરીયા, કતાર, UAE , કેન્યા, ભૂટાન, UK અને USA જેવા કુલ 15 દેશો સાથે આ પ્રકારના કરારો કર્યા છે, જેથી લઈને કોવિડ સમયગાળામાં હવાઈ વ્યવહાર પુનર્સ્થાપિત કરી શકાય.
કોવિડ પ્રતિબંધો ને ટાળવા બે દેશો વચ્ચેની દ્વિપક્ષીય વ્યવસ્થા છે એર બબલ કરાર
બંને દેશો વચ્ચેના એર બબલ કરાર હેઠળ, કોવિડ -19 રોગચાળાને કારણે પ્રતિબંધિત સમયગાળા વચ્ચે તેમની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટ્સ એક બીજાના પ્રદેશમાં ચલાવવામાં આવી શકે છે. જે ફ્લાઈટ્સને બંને દેશોના શાસન તંત્ર દ્વારા સહમતિ પ્રદાન થયેલિ હોય છે.
ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી એ ટ્વિટ કર્યું હતું કે "ભારત અને ઓમાન વચ્ચેની ફ્લાઇટ્સ માટે દ્વિપક્ષીય એર બબલ કરાર થયો છે તેની જાહેરાત કરીને આનંદ અનુભવી રહ્યો છું." આ વ્યવસ્થા કરવાવાળો ઓમાન 16 મો દેશ બન્યો છે. ' તેમણે કહ્યું કે "ભારત અને ઓમાનના એરલાઈન્સ સંચાલકો હવે ફરીથી કામ કરી શકશે"
ભારત માં 23 માર્ચ થી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર મૂકાયો છે પ્રતિબંધ
નોંધનીય છે કે કોરોના વાયરસ રોગચાળા ને લીધે, 23 માર્ચથી ભારતમાં સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે, વંદે ભારત મિશન હેઠળ અને જુલાઈથી ભારત અને અન્ય દેશો વચ્ચે ના એર બબલ કરાર ની વ્યવસ્થા હેઠળ ભારતમાં વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ ચાલુ થઈ ચૂકી છે.
ઓમાન થી 13 હજાર લોકો ઘરે પરત ફરશે
કોરોના વાયરસ વચ્ચે દેશમાં લદાયેલા લોકડાઉન પછી અન્ય દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઘરે લાવવા વંદે ભારત મિશન શરૂ કરાયું હતું. આ શ્રેણીમાં, મિશનના સાતમા તબક્કા હેઠળ, 40 હજાર ભારતીયો UAE થી પાછા ફરશે.
વંદે ભારત મિશનના સાતમા તબક્કા માટે UAE માટે 271 ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. આ તબક્કામાં મોટા ભાગના લોકો UAE થી પાછા ફરશે. તે જ સમયે, મોટી સંખ્યામાં ભારતીયો પણ ઓમાન, સિંગાપોર, કતાર, સાઉદી અરેબિયાથી પાછા ફરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઓક્ટોબરથી શિડયુલ નક્કી કર્યું છે.
ઓક્ટોબરમાં એર ઇન્ડિયા ની 496 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે. આમાં, UAE પછી સૌથી વધુ લોકો ઓમાન થી પાછા ફરશે. ઓમાન થી 13 હજાર લોકોને ભારતમાં લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ સમયે, સિંગાપોર, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈત થી પણ મોટી સંખ્યામાં લોકો સ્વદેશ પરત ફરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ