બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Indian Army to start 'Operation Sarva Shakti' in Jammu and Kashmir

Operation Sarvshakti / જમ્મુ-કાશ્મીરમાં હવે આતંકીઓનો સફાયો થશે, ભારતીય સેના શરૂ કરશે 'ઓપરેશન સર્વશક્તિ'

Priyakant

Last Updated: 10:35 AM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu Kashmir Latest News: આ ઓપરેશન હેઠળ સેના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પીર પંજાલ પર્વતમાળાની બંને બાજુ સક્રિય આતંકવાદીઓને નિશાન બનાવશે

  • જમ્મુ-કાશ્મીરમાં  ભારતીય સેના દ્વારા મોટું પગલું 
  • ભારતીય સેના દ્વારા ઓપરેશન સર્વશક્તિ શરૂ કરવાનો નિર્ણય
  • સેના પીર પંજાલ પર્વતમાળાની બંને બાજુ સક્રિય આતંકવાદીઓને નિશાન બનાવશે

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના પ્રયાસોને રોકવા અને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેનાએ એક મોટું પગલું ભર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ગતિવિધિઓ વધારવાના પાકિસ્તાની આતંકવાદીઓના પ્લાન સામે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય સેના દ્વારા ઓપરેશન સર્વશક્તિ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ઓપરેશન હેઠળ સેના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પીર પંજાલ પર્વતમાળાની બંને બાજુ સક્રિય આતંકવાદીઓને નિશાન બનાવશે.

ફરી વિકસી રહ્યો છે પીર પંજાલ ક્ષેત્રમાં આતંકવાદ 
સુરક્ષા દળોના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓપરેશન સર્વશક્તિ પીર પંજાલ પર્વતમાળાની બંને બાજુએ સંયુક્ત આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સ તેમજ નાગરકોટા મુખ્યમથક હોવાથી વ્હાઇટ નાઈટ કોર્પ્સ વારાફરતી ઓપરેશનને અંજામ આપશે. આ સિવાય તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર પોલીસ, CRPF, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ જમ્મુ અને કાશ્મીરમાં ખાસ કરીને રાજૌરી પૂંચ સેક્ટરમાં આતંકવાદી ગતિવિધિઓને પુનર્જીવિત કરવાની પાકિસ્તાની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સંકલન કરશે.

તાજેતરના સમયમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોએ પીર પંજાલ પર્વતમાળાના દક્ષિણમાં ખાસ કરીને રાજૌરી પુંછ સેક્ટરમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરના આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 20 જવાનો શહીદ થયા છે. 21 ડિસેમ્બરે ડેરા કી ગલી વિસ્તારમાં ચાર જવાનો શહીદ થયા હતા.

વધુ વાંચો: VIDEO: 14 લાખ રંગબેરંગી દીવડાઓથી ઝગમગી ઉઠ્યું ભગવાન શ્રીરામનું પરાક્રમી સ્વરૂપ, ભક્તો ગદગદિત

નવું ઓપરેશન સરપવિનાશની તર્જ પર હશે
આ ઓપરેશન ઓપરેશન સરપવિનાશની તર્જ પર હોવાની અપેક્ષા છે જે 2003માં પીર પંજાલ રેન્જની દક્ષિણે આવેલા સમાન વિસ્તારોમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ તાજેતરમાં કહ્યું હતું કે, 2003થી આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ લગભગ અદૃશ્ય થઈ ગઈ હતી, પરંતુ પશ્ચિમી હરીફ હવે તેને ત્યાં પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે ઉત્તરી કમાન્ડ તેમજ કોર્પ્સ કમાન્ડરો સાથે આ આતંકવાદીઓના ખતરાનો સામનો કરવાની રીતો પર વિગતવાર ચર્ચા કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ