બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Pravin Joshi
Last Updated: 05:51 PM, 12 November 2023
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. આ દરમિયાન પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલની વસાહતો વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રસ્તાવનો અમેરિકા અને કેનેડા સહિત 7 દેશોએ વિરોધ કર્યો હતો, પરંતુ 18 દેશો મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે સુધારાની તરફેણમાં મતદાન કર્યું અને પ્રસ્તાવની તરફેણમાં 88 વોટ મળ્યા, પરંતુ પ્રસ્તાવને જરૂરી બે તૃતીયાંશ બહુમતી મળી શકી નહીં.
ભારત આતંકવાદ સાથે સમાધાન નહીં કરે
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઠરાવ પર ભારતનો નિર્ણય આ મુદ્દા પર તેની સુસંગત નીતિઓ પર આધારિત હતો. હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો ઉલ્લેખ કરતા સૂત્રોએ કહ્યું કે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આતંકવાદના મુદ્દે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. નવી દિલ્હીના મત અંગે સ્પષ્ટતા કરતા ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે કહ્યું કે અમારી સહાનુભૂતિ બંધકો સાથે પણ છે. અમે તેમની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ માટે હાકલ કરીએ છીએ. તેમણે કહ્યું કે ભારત હંમેશા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે વાટાઘાટો દ્વારા દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે. ઇઝરાયેલ સાથે શાંતિથી સુરક્ષિત અને માન્ય સરહદોની અંદર રહેતા પેલેસ્ટાઇનનું સાર્વભૌમ, સ્વતંત્ર અને વ્યવહારુ રાજ્ય સ્થાપિત કરવું. 7 ઓક્ટોબરના હુમલા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમાસના હુમલાને "આતંકવાદી" કાર્યવાહી ગણાવી હતી. ભારતે આ ઘટનાની નિંદા કરી હતી. ભારતના ઈઝરાયેલ સાથે સતત સારા સંબંધો રહ્યા છે.
ભારતે અગાઉના પ્રસ્તાવમાં મતદાનમાં ભાગ લીધો ન હતો
આ ઠરાવ યુએનના ઠરાવમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે "તાત્કાલિક યુદ્ધવિરામ" માટે બોલાવ્યાના થોડા અઠવાડિયા પછી આવ્યો છે. ભારતે તે ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહી હતી. નોંધનીય છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ યુદ્ધ શરૂ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir