બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / india new president draupadi murmu first speech in parliament central hall
Pravin
Last Updated: 12:52 PM, 25 July 2022
દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ બની ગયા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણાએ તેમને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા. દ્રૌપદી મુર્મૂ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. તથા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન પ્રથમ આદિવાસી મહિલા બન્યા છે. તથા સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે.
દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પોતાના ઔપચારિક અભિભાષણ દરમિયાન ત્યાં હાજર ગણમાન્ય લોકોને સંબોધન કર્યું હતું. પોતાના અભિભાષણ દરમિયાન રાષ્ટ્રપતિએ ડિજિટલ, શિક્ષણ જેવા કેટલાય મુદ્દા પર છણાવટ કરી હતી.
#WATCH President Droupadi Murmu inspects her first Guard of Honour after taking the oath, at Rashtrapati Bhavan in Delhi pic.twitter.com/T47qfSWHBu
— ANI (@ANI) July 25, 2022
સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનના વખાણ
દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ સંસદના સેન્ટ્રલ હોલમાં પોતાનું ઔપચારિક ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું, મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, આ ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. હું દેશની એવી પ્રથમ રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ આઝાદ ભારતમાં થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનના વખાણ કરતા કહ્યું કે, સંથાલ ક્રાંતિ, પાઈકા ક્રાંતિથી લઈને કોલ ક્રાંતિ અને ભીલ ક્રાંતિએ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી યોગદાનને વધારે સશક્ત કર્યું હતું.
તેમણે કહ્યું કે, સામાજિક ઉત્થાન અને દેશ પ્રેમ માટે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીના બલિદાનથી અમે પ્રેરણા મળી હતી. તેમણે કહ્યું કે, મારો જન્મ એ જનજાતિય પરંપરામાં થયો છે, જેણે હજારો વર્ષોથી પ્રકૃતિ સાથે તાલમેલ મેળવીને જીવનને આગળ વધાર્યું છે. મેં જંગલ અને જળાશયોના મહત્વને પોતાના જીવનમાં અનુભવ કર્યો છે. આપણે પ્રકૃતિ પાસેથી જરૂરી સંસાધનો લઈએ છીએ, એટલી જ શ્રદ્ધાથી પ્રકૃતિની સેવા પણ કરીએ છીએ.
President Droupadi Murmu assumes the office of the President at the Rashtrapati Bhavan. Former President Ram Nath Kovind also present with her.
— ANI (@ANI) July 25, 2022
(Source: Rashtrapati Bhavan) pic.twitter.com/36Cnyyvqs5
કોરોના વેક્સિન પર ભારતની સિદ્ધિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ પોતાના પ્રથમ અભિભાષણમાં કોરોના સંક્રમણને રોકવા માટે ભારતે ઉઠાવેલા પગલાના વખાણ કર્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, થોડા દિવસ પહેલા ભારતે કોરોના વેક્સિનના 200 કરોડ ડોઝ લગાવાનો કીર્તિમાન બનાવ્યો છે. આ સમગ્ર લડાઈમાં ભારતના લોકોએ સંયમ, સાહસ અને સહયોગનો પરિચય આપ્યો છે. તે એક સમાજ તરીકે આપણી વધતી શક્તિ અને સંવેદનશીલતાનું પ્રતિક છે.
સૌનો પ્રયાસ અને સૌનું કર્તવ્ય પર ભાર આપ્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં કહ્યું કે, એક સંસદીય લોકતંત્ર તરીતે 75 વર્ષોમાં ભારતે પ્રગતિનો સંકલ્પ સહભાગિતા તથા સર્વ સંમતિથી આગળ વધાર્યો છે. વિવિધતાઓથી ભરેલા આપણા દેશમાં આપણે અનેક ભાષા, ધર્મ, સંપ્રદાય, ખાન-પાન, રહેણી કહેણી-રીતિ રિવાજો અપનાવતા એક ભારત-શ્રેષ્ઠ ભારતનું નિર્માણમાં સક્રિય છીએ. આપણા સ્વાધીનતા સેનાનીઓએ આઝાદ હિન્દુસ્તનમાં નાગરિકો પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી, તેની પૂર્તિ માટે આ અમૃતકાળમાં આપણે તેજ ગતિથી કામ કરવુ પડશે. આ 25 વર્ષોમાં અમૃતકાળની સિદ્ધિનો રસ્તો બે પાટા પર આગળ વધી રહ્યો છે. સૌનો પ્રયાસ અને સૌનું કર્તવ્ય.
Delhi | President Droupadi Murmu receives ceremonial salute at the forecourt of the Rashtrapati Bhavan. Former President Ram Nath Kovind also present with her. pic.twitter.com/TEMRPPxn0k
— ANI (@ANI) July 25, 2022
આદિવાસી મને પોતાનું પ્રતિબિંબ માની રહ્યા છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સેન્ટ્રલ હોલમાં પોતાના અભિભાષણમાં ત્યાં હાજર ગણમાન્ય વ્યક્તિઓને સંબોધન કરતા કહ્યું કે, મારા માટે આ બહું સંતોષની વાત છે જે સદીઓથી વંચિત રહ્યા, જે વિકાસના લાભથી દૂર રહ્યા, તે ગરીબ, દલિત, પછાત તથા આદિવાસી મને પોતાનું પ્રતિબિંબ તરીકે જોઈ રહ્યા છે. હું આજે સમસ્ત દેશવાસીઓનો ખાસ કરીને ભારતના યુવાનો અને ભારતની મહિલાઓને વિશ્વાસ અપાવું છું કે, આ પદ પર કામ કરતા મારા માટે તેમના હિત સર્વોપરી હશે.
સ્વતંત્રતા સેનાનીઓ શિખને યાદ અપાવી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના ભાષણમાં દેશના સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને તેમની શિક્ષાને યાદ કરતા કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોસ, નહેરુજી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ જેવા અગણિત સ્વાધીનતા સેનાનીઓએ આપણને રાષ્ટ્રના સ્વાભિમાનને સર્વોપરી રાખવાની શિક્ષા આપી હતી. રાણી લક્ષ્મી બાઈ, રાની વેલૂ નચિયાર, રાની ગાઈદિન્લ્યૂ અને રાની ચેનમ્મા જેવી અનેક વિરાંગનાઓએ રાષ્ટ્રરક્ષા અને રાષ્ટ્રનિર્માણમાં નારીશક્તિની ભૂમિકાને નવી ઊંચાઈ પ્રાપ્ત કરાવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir