બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In one night in Gir Somnath district, it rained such a disaster that there was water all around
Dinesh
Last Updated: 11:25 PM, 19 July 2023
રાજ્યમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં એક રાતમાં એવી આફત વરસી કે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે. રાજ્યના 163 તાલુકામાં વરસાદ નોઁધાયો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ જૂનાગઢના માળિયા હાટીનામાં તેમજ વાપીમાં 8 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 7.3 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે કુતિયાણામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 71 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
ત્રિવેણી સંગમ ઘાટ પણ પાણીમાં ગરકાવ
સવાર બાદ પણ વરસાદ અવિતર ચાલું રહ્યો જેને કારણે જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન કે પછી હાઈવે હોય કે રહેણાંક સોસાયટી તમામ જગ્યાએ માત્ર પાણીનું જ સામ્રાજ્ય ફેલાયું છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વેરાવળ શહેરના બિહારીનગર, અન્નપૂર્ણા સોસાયટી, શિવજી નગર અને હરસિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારોમાં દુકાનો, ઘરોમાં પાણી ઘુસી ગયા છે તો ત્રિવેણી સંગમ ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
NDRFની ટીમો પણ કામે લાગી
મુશળધાર વરસેલા વરસાદને કારણે હાઈવે પણ પાણી-પાણી થઈ ગયા છે. કેટલીક જગ્યાએ તો નદીના ધસમસતા પ્રવાહમાં હાઈવે જ ધોવાઈ ગયા છે. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પણ ધોવાઈ ગયો છે. સોનારીયા નજીક હાઈવે પરનો પુલ પાણીની તાકાત સામે ટકી ન શક્યો. પૂરના પાણી રોડ પર વહેવા લાગતા વેરાવળ તરફનો સંપર્ક જ તૂટી ગયો છે. ધોધમાર વરસાદ વરસતા સોમનાથથી 3 કિલોમીટર દૂર નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને લઈ સોમનાથ નેશનલ હાઇવે હજુ પણ બંધ છે. તો બીજી તરફ ગામોમાં ફલાયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમો પણ કામે લાગી ગઈ છે.
ખેડૂતોની ચિંતા વધી
આ બધાની વચ્ચે પ્રથમવાર એવું બન્યું કે ધોધમાર વરસાદને કારણે ભાલકા મંદિર પરિસર સુધી પાણી પહોંચી ગયું અને પ્રથમવાર મંદિર પરિસર બેટમાં ફેરવાઈ ગયું. અવિરત વરસેલા વરસાદને કારણે નદીઓ પણ ગાંડી તૂર બની છે. હિરણ હોય કે સરસ્વતી નદી ગીર સોમનાથ જિલ્લાની તમામ નાની મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે નારિયેળીના પાકનો સોથ વળી ગયો તો ખેતરો તળાવ બની ગયા. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir